મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટની કાયાપલટ માટે ૨૦ કરોડના વિકાસકામોનું મંત્રીશ્રી બ્રિજેશભાઇએ કર્યું ખાતમુહૂર્ત


SHARE

















મોરબીના લાતી પ્લોટની કાયાપલટ માટે ૨૦ કરોડના વિકાસકામોનું મંત્રીશ્રી બ્રિજેશભાઇએ કર્યું ખાતમુહૂર્ત

રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલ જુદાજુદા વિકાસકામોના ખત્મહૂર્ત કરવામાં આવે છે તેવી જ રીતે ઉમિયા સર્કલથી બજરંગ સર્કલ સુધીના આર.સી.સી. રોડનું ૬.૫૬ કરોડનું કામ અને લાતીપ્લોટમાં વરસાદી પાણીના નિકાલ અને સી.સી. રોડ બનાવવા માટેના ૨૦ કરોડના કામનું ખાતમુહૂર્ત તેના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભા દેથરીયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, રણછોડભાઇ દલવાડી અને બાબુભાઇ હુંબલ, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઇ ગડારા તેમજ મોરબી પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી સમિતિના અધ્યક્ષ સુરેશભાઇ દેસાઇ, બાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઇ અવાડીયા, પ્રભુભાઈ ભૂત, આપાભાઈ કુંભારવાડીયા, રિશિપભાઇ કૈલા, ભાવેશભાઇ કણઝારીયા, દીપકભાઈ પોપટ, મેઘાબેન પોપટ, અનિલભાઇ મહેતા, નુતનબેન વિડજા, શશાંગભાઇ દંગી, બિપિનભાઈ વ્યાસ, ચીફ ઓફીસર સંદીપસિંહ ઝાલા સહિતના હાજર રહ્યા હતા ત્યારે મંત્રી બ્રિજેશભાઇએ કોંગ્રેસ ઉપર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, અમે ખાતમહુર્ત કરીએ છીએ તેના લોકાર્પણ પણ અમે જ કરીશું વધુમાં તેમણે કહ્યું છે શહેરીજનોને વિજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય, રસ્તા જેવી પ્રાથમિક સવલતો સરળતાથી મળી રહે અને શહેરનો સમતોલ વિકાસ થાય તે દિશામાં રાજય સરકાર કાર્ય કરી રહી છે.




Latest News