મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ગળેફાંસો ખાઇ જતાં યુવતીનું મોત


SHARE













મોરબીમાં ગળેફાંસો ખાઇ જતાં યુવતીનું મોત

મોરબીના સામાકાંઠે આવેલા પાવનપાર્ક વિસ્તારમાં હાલમાં ભાડાના મકાનમાં રહેતી અને મૂળ જોડીયા પંથકના ગ્રામ્ય વિસ્તારની ગરાસીયા યુવતીએ ગઇકાલે સાંજે ગળાફાંસો ખાઇ લેતા તેણીનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના સામાકાંઠે આવેલ પાવન પાર્ક શેરી નંબર-૧ માં હિરેન હરજીવનભાઇ પરમારના મકાનમાં ભાડે રહેતી અને મૂળ જામનગરના જોડીયા તાલુકાના ખીરી ગામની વતની દિવ્યાબા રામદેવસિંહ પથુભા જાડેજા નામની ૨૦ વર્ષીય યુવતીએ કોઈ કારણોસર તેના પાવનપાર્કના રહેણાંક મકાનમાં પંખા સાથે ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેણીનું મોત નિપજતાં મૃતદેહને પીએમ અર્થે અહીંની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.બનાવને પગલે મૃતકના કૌટુંબિક કાકા બાપાલાલ જોરૂભા જાડેજા દરબાર (૪૨) રહે.અરૂણોદયનગર સામાકાંઠે મોરબી-૨ વાળાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. જેથી પોલીસ મથકના જે.એમ.જાડેજાએ હાલમાં દિવ્યાબા રામદેવસિંહ જાડેજાના મોત અંગે નોંધ કરીને કયા કારણોસર તેણીને અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે.હાલ બી ડિવિઝન પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ તપાસ હાથ ધરતા ખૂલ્યું હતું કે મૃતક દિવ્યાબા તેમની અન્ય ચાર બહેનપણીઓ સાથે મોરબીમાં મકાન ભાડે રાખીને રહેતા હતા અને મોરબીમાં કામકાજ કરતા હતા.તેઓની અન્ય બે બહેનપણી કારખાનામાં નોકરીએ ગયેલી હતી અને અન્ય બે યુવતીઓ ખરીદી માટે બહાર ગઈ હતી તે દરમિયાન રૂમમાં એકલા દિવ્યાબાએ અંતિમ પગલું ભરી લીધું હતું.તેઓને છાતીના દુખાવાની કોઈ તકલીફ હોય તેની દવા ચાલુ હતી તેવી હાલ પ્રાથમિક માહિતી મળી છે જોકે ખરા કારણ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

છોકરાઓની તકરારમાં મારામારી

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા પુનમભાઈ મનુભાઈ દેવીપુજક નામના ૨૫ વર્ષેીય યુવાનને છોકરાઓની તકરારમાં તેમના ફુવા સંજયભાઈ સાથે બોલાચાલી થયા બાદ મારામારીના બનાવમાં ઈજા થતાં પૂનમભાઈને સારવારમાં સિવિલે ખસેડાયા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર મફતીયાપરા વિસ્તારમાં મુન્નાભાઈ સલીમભાઈ મન્સૂરી નામના એકવીસ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજા થતાં તેને પણ સારવારમાં સિવિલે ખસેડાયો હતો ઇજાગ્રસ્ત પોતાના બા ની સાથે ઝઘડો કરતો હોય તેના ભાઈએ 'બા સાથે કેમ બોલાચાલી કરે છે..?' તેમ કહીને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ થયેલ મારામારીમાં ઈજા થતાં મુન્ના મન્સૂરીને સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં રહેતા સુનીલ અવચર બારૈયા નામના ૨૨ વર્ષીય યુવાનને પણ મારામારીના બનાવમાં ઇજા થતા તેને સારવારમાં સિવિલે લાવવામાં આવ્યો હતો.






Latest News