માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના સભ્ય મંજુલાબેન દેત્રોજાના ઘરે સામાજિક સમરસતાનો કાર્યક્રમ યોજાયો


SHARE

















મોરબી પાલિકાના સભ્ય મંજુલાબેન દેત્રોજાના ઘરે સામાજિક સમરસતાનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ સોસાયટીયા રહેતા મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના માજી પ્રમુખ અને બોટાદ જિલ્લા ભાજપના પ્રભારી મંજુલાબેન દેત્રોજાના ઘરે અનુસૂચિત જાતિના ભાઈઓ અને બહેનોને તેઓના સપરિવાર આમંત્રિત કરીને સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે દરેક સમાજનાં લોકો સાથે સમરસતા વધે અને બધા લોકો એકબીજાની નજીક આવે તેના માટે ઘણા બધાં સામાજિક સમરસતાના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને વડાપ્રધાન બન્યા બાદ પણ આ કાર્ય થકી સમાજનાં નાતજાતના ભેદભાવ મિટાવીને બધા લોકો સાથે મળીને રાષ્ટ્ર માટે વિચારે અને વ્યક્તિ સે બડા દલ ઓર દલસે બડા દેશની ભાવના સાથે દરેક સમાજનાં લોકો ફક્ત આપણે પહેલાં ભારતીય છીએ એમ વિચારીને રાષ્ટ્ર દેશ માટે કામ કરે એ જીવનમંત્ર બનાવે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો પણ સામાજિક સમરસતા સમાજમાં જળવાઈ રહે અને સાથે મળીને નાતજાતના ભેદભાવ મિટાવીને આપણે સૌ રાષ્ટ્ર માટે કામ કરીએ એવો કાયમ આગ્રહ રહ્યો છે ત્યારે બોટાદ જિલ્લાના પ્રભારી તરીકે હાલમાં જવાબદારી સાંભળતા અને મોરબી પાલિકાના કાઉન્સિલર મંજુલાબેન દેત્રોજાએ આ આહવાનને સ્વીકારીને તેના ઘરે રસોઈ બનાવીને સાથે ભોજન લઈને સામાજિક સમરસતા વધે એવો નાનો પ્રયાસ કર્યો હતો આ ભોજન બાદ બધાનું સન્માન કર્યું હતું. આ તકે મોરબી પાલિકા કાઉન્સિલર ગીતાબેન મનુભાઈ સારેસા, મનિષાબેન ગૌતમભાઈ સોલંકી અને જાગૃતિબેન પરમારે મંજુલાબેનનું સાડી આપીને સન્માન કર્યું હતું આ કાર્યક્રમમા મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયાજિલ્લા મહામંત્રી જયુભાપ્રભુભાઈ ભૂતહંસાબેન રંગપરિયાભાવિનીબેન ડાભી વગેરે હાજર રહ્યા હતા અને મોરબી જિલ્લા પ્રમુખ માજી પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ મંજુલાબેન દ્વારા કરવામાં આવેલ સામાજિક સમરસતાના પ્રયાસને બિરદાવયો હતો




Latest News