મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી સ્વામિનારાયણ મંદિરે પાટોત્સવમાં પ્રથમવાર ૧૦૦૮ વાનગી અને ૫૦૦ કિલોથી વધુ મીઠાઈનો ભગવાનને અન્નકૂટ ધરાયો


SHARE







મોરબીમાં શ્રી સ્વામિનારાયણ મંદિરે પાટોત્સવમાં પ્રથમવાર ૧૦૦૮ વાનગી અને ૫૦૦ કિલોથી વધુ મીઠાઈનો ભગવાનને અન્નકૂટ ધરાયો

મોરબીમાં શનાળા રોડ પર નવા બસસ્ટેશન પાસે આવેલ શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિરે સદગુરૂ પ્રેમપ્રકાશદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ ૨૨ માં પાટોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી.જેમાં ગઈકાલે અંતિમ દિવસે મોરબીમાં પ્રથમવાર સૌથી મોટો અન્નકૂટ ૧૦૦૮ વાનગીઓ જેમાં અલગ અલગ કુલ ૫૦૦ કિલોથી વધુ મીઠાઈઓ ભગવાન શ્રી સ્વામિનારાયણને ધરવવામાં આવી હતી.આ અન્નકૂટ દર્શનનો મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો.પાટોત્સવમાં અભિષેક, દર્શન, જપ, યજ્ઞ તા.૩ થી ૯ સત્સંગ કથા યોજાઈ હતી જેમાં કથાના વક્તા શાસ્ત્રી જગતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી દિવ્યપ્રકાસદાસજીસ્વામીએ કથાનું રસપાન કરાવ્યું હતું.પાટોત્સવને સફળ બનાવવા શાસ્ત્રી સ્વામી, ધ્યાન સ્વામી, ટ્રસ્ટીઓ તેમજ હરિભક્તોએ સેવા આપી હતી.






Latest News