ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાનધામ ખાતે એપ્રિલ માસમાં યોજાશે રામકથા


SHARE













મોરબીના ખોખરા હનુમાનધામ ખાતે એપ્રિલ માસમાં યોજાશે રામકથા

ગુજરાતની સૌથી મોટી ૧૦૮ ફુટની હનુમાનજીની પ્રતિમાનું સંતો-મહંતો અને રાજકીય આગેવાનોની હાજરીમાં થશે અનાવરણ

મોરબી નજીકના ભતરનગર અને બેલા ગામની વચ્ચે ખોખરા હનુમાનધામ આવેલું છે.જ્યાં ગુજરાતની સૌથી મોટી કહી શકાય તેવી ૧૦૮ ફૂટની હનુમાનજીની પ્રતિમાનું સ્થાપન કરાયું છે અને તેની અંદર હજારો 'શ્રીરામ' નામ લખેલી પુસ્તિકાઓ પધરાવવામાં આવેલી છે.આ જગ્યાએ આગામી એપ્રીલ માસમાં રામકથાનું આયોજન કરાયેલ છે.ગુજરાતની સૌથી મોટી ૧૦૮ ફુટની હનુમાનજીની પ્રતિમાનું સંતો-મહંતો અને રાજકીય અગ્રણીઓની હાજરીમાં અનાવરણ કરવામાં આવશે.

મોરબીના ભરતનગર અને બેલા ગામ વચ્ચે આવેલ ખોખરા હનુમાનધામ કે જ્યાં મહામંડલેશ્વર ૧૦૦૮ પુ.કનકેશ્વરીદેવીનો આશ્રમ આવેલો છે અને ત્યાં અનેક વિપ્ર બાળકો વેદોની શિક્ષા લઇ શકે તેવી સુંદર પાઠશાળા ચાલી રહી છે ત્યાં રામકથાનું આગામી તા.૮ થી ૧૬ એપ્રિલ દરમિયાન આયોજન કરવામાં આવેલું છે.દરરોજ સવારે ૯:૩૦ થી ૧ વાગ્યા સુધી આ રામકથાનું વ્યાસપીઠેથી મહામંડલેશ્વર ૧૦૦૮ પુ.કનકેશ્વરીદેવી વાંચન કરશે.રામકથા દરમ્યાન ગુજરાતના મુખ્ય ધર્મસ્થાનોમાંથી સાધુ-સંતો, મહંતો, મહામંડલેશ્વરો, આચાર્યો તેમજ વિદ્વાન કથાકારો ઉપસ્થિત રહેશે તથા કથા શ્રવણ માટે પધારેલ ભક્તો માટે દરરોજ બપોરે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે અને રાત્રી દરમ્યાન ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ભજન-સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.અતિ ધામધૂમથી આધ્યાત્મિક ઉત્સવ ઉજવવાનો હોય સર્વેને જોડાવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે. આ ધર્મોત્સવમાં ૧૦૮ પોથીનું સ્થાપન કરવામાં આવશે જેમાં પોથીના યજમાન થવાનો લાભ પ્રાપ્ત કરવા માટે અથવા કથા આયોજનમાં કોઈપણ પ્રકારની તન-મન-ધનથી સેવા કરવા માટે આશ્રમની ઓફિસ ખાતે સંપર્ક કરવા માટે શ્રી ખોખરા હનુમાન હરિહરધામ સેવા સમિતિ દ્વારા જણાવવામાં આવેલ છે.






Latest News