મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાનધામ ખાતે એપ્રિલ માસમાં યોજાશે રામકથા


SHARE











મોરબીના ખોખરા હનુમાનધામ ખાતે એપ્રિલ માસમાં યોજાશે રામકથા

ગુજરાતની સૌથી મોટી ૧૦૮ ફુટની હનુમાનજીની પ્રતિમાનું સંતો-મહંતો અને રાજકીય આગેવાનોની હાજરીમાં થશે અનાવરણ

મોરબી નજીકના ભતરનગર અને બેલા ગામની વચ્ચે ખોખરા હનુમાનધામ આવેલું છે.જ્યાં ગુજરાતની સૌથી મોટી કહી શકાય તેવી ૧૦૮ ફૂટની હનુમાનજીની પ્રતિમાનું સ્થાપન કરાયું છે અને તેની અંદર હજારો 'શ્રીરામ' નામ લખેલી પુસ્તિકાઓ પધરાવવામાં આવેલી છે.આ જગ્યાએ આગામી એપ્રીલ માસમાં રામકથાનું આયોજન કરાયેલ છે.ગુજરાતની સૌથી મોટી ૧૦૮ ફુટની હનુમાનજીની પ્રતિમાનું સંતો-મહંતો અને રાજકીય અગ્રણીઓની હાજરીમાં અનાવરણ કરવામાં આવશે.

મોરબીના ભરતનગર અને બેલા ગામ વચ્ચે આવેલ ખોખરા હનુમાનધામ કે જ્યાં મહામંડલેશ્વર ૧૦૦૮ પુ.કનકેશ્વરીદેવીનો આશ્રમ આવેલો છે અને ત્યાં અનેક વિપ્ર બાળકો વેદોની શિક્ષા લઇ શકે તેવી સુંદર પાઠશાળા ચાલી રહી છે ત્યાં રામકથાનું આગામી તા.૮ થી ૧૬ એપ્રિલ દરમિયાન આયોજન કરવામાં આવેલું છે.દરરોજ સવારે ૯:૩૦ થી ૧ વાગ્યા સુધી આ રામકથાનું વ્યાસપીઠેથી મહામંડલેશ્વર ૧૦૦૮ પુ.કનકેશ્વરીદેવી વાંચન કરશે.રામકથા દરમ્યાન ગુજરાતના મુખ્ય ધર્મસ્થાનોમાંથી સાધુ-સંતો, મહંતો, મહામંડલેશ્વરો, આચાર્યો તેમજ વિદ્વાન કથાકારો ઉપસ્થિત રહેશે તથા કથા શ્રવણ માટે પધારેલ ભક્તો માટે દરરોજ બપોરે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે અને રાત્રી દરમ્યાન ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા ભજન-સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.અતિ ધામધૂમથી આધ્યાત્મિક ઉત્સવ ઉજવવાનો હોય સર્વેને જોડાવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે. આ ધર્મોત્સવમાં ૧૦૮ પોથીનું સ્થાપન કરવામાં આવશે જેમાં પોથીના યજમાન થવાનો લાભ પ્રાપ્ત કરવા માટે અથવા કથા આયોજનમાં કોઈપણ પ્રકારની તન-મન-ધનથી સેવા કરવા માટે આશ્રમની ઓફિસ ખાતે સંપર્ક કરવા માટે શ્રી ખોખરા હનુમાન હરિહરધામ સેવા સમિતિ દ્વારા જણાવવામાં આવેલ છે.






Latest News