મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

ગુજરાતમાં ગામ અને ગામની શાળાના જન્મદિનની ઉજવણી કરો, પ્રકૃતિક ખેતી અને વૃક્ષા રોપણ કરો: નરેન્દ્ર મોદી


SHARE













ગુજરાતમાં ગામ અને ગામની શાળાના જન્મદિનની ઉજવણી કરો, પ્રકૃતિક ખેતી અને વૃક્ષા રોપણ કરો: નરેન્દ્ર મોદી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે ત્યારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ગુજરાત પંચાયત મહાસંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. અને આઝાદી ક અમ્રુત મહોત્સવને ધ્યાનમાં રાખીને ગામ અને ગામની શાળાના જન્મદિનની ઉજવણી, પ્રકૃતિક ખેતી તેમજ વૃક્ષા રોપણ કરવાની વાત ઉપર ભાર મૂક્યો હતો

આજે નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં લોકોને સંબોધન કર્યું હતું ત્યારે દરેક ગામમાં જે પાણી પાછળ મોટા ખર્ચ થાય છે તેને રોકવા માટે કુદરતી રીતે આવતા પાણીને રોકીને જમીનમાં પાણીના તળ ઊંચા લવાવવા માટે બોરીબંધ બનાવવા માટે કહ્યું હતું અને ખાતર-સિમેન્ટની ખાલી થેલીઓ ભેગી કરી તેમાં માટી ભરીને પાણી રોકવામાં આવે તેમજ એક લાખ ખેત તલાવડી બનાવવામાં આવે તેવું આહ્વાન કર્યું હતું તેમજ ગામમાં ૭૫ ખેડૂતો નક્કી કરીને પ્રાકૃતિક ખેતી શરૂ કરશે. તો ખેતી, જમીન અને ગામ બચી જશે તેવી લાગણી વ્યક્ત કરી હતી આટલું જ નહીં. નવા ચૂંટાયેલા પંચાયતના પ્રતિનિધિઓ પાસેથી વચન માગ્યું હતું અને કહ્યું હું કહું એવા નાના નાના કામ કરશો? દોઢ લાખથી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિ એકસાથે બેસીને ગુજરાતના ભવિષ્યની ચર્ચા કરે એથી મોટી બીજી શું તાકાત હોય શકે. ગામની શાળા અને ગામના જન્મ દિનની ઉજવણી કરવામાં આવે તે જરૂરી છે કેમ કે, શાળા શિક્ષકોની નથી શાળા કોઈપણ ગામની પ્રાણશક્તિ છે. હાલમાં આઝાદી અમૃત મહોત્સવ ચાલુ છે ત્યારે ૨૦૨૩ સુધીમાં ૭૫ કાર્યક્રમો ગામમાં કરવાના છે અને ગામ આખું ભેગું થઈને ૭૫ ઝાડ વાવે અને ખેડૂતો પ્રકૃતિક ખેતી કરે તેમજ લોકો વૃક્ષા રોપણ કરે તે વાત ઉપર ભાર મૂક્યો હતો






Latest News