મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીમાં પત્નીના આડા સંબંધની પીયરમાં જાણ કરતા પરિણીતાએ ગળેફાંસો ખાઇને જીવ દીધો


SHARE









મોરબીમાં પત્નીના આડા સંબંધની પીયરમાં જાણ કરતા પરિણીતાએ ગળેફાંસો ખાઇને જીવ દીધો

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે મહાદેવના મંદિર પાસે રહેતી પરિણીતાએ તેના ઘેર ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજયું હતું જેથી મૃતકના પતિએ ડેડબોડીને સિવિલે ખસેડતા તાલુકા પોલીસમાં જાણ થઈ હતી અને પોલીસે તપાસ હાથ ધરતા ચોંકાવનારું કારણ સામે આવ્યુ હતું કે મૃતક મહિલાને મૂળ સુરેન્દ્રનગરના અને હાલ રફાળેશ્વર ગામે રહેતા કોઈ યુવાન સાથે આંખ મળી ગઈ હોય અને તે બાબતે તેના પતિને જાણ થઇ જતાં પતિએ પરિણીતાના પિયરમાં જાણ કરીને સમજાવવા કહ્યુ હતુ તે બાબતને લઈને પરિણીતાએ અંતિમ પગલું ભરી લેતા તેણીનું મોત નીપજ્યું હતું

મોરબીના રફાળેશ્વર ગામે મહાદેવના મંદિર પાસે રહેતા નીતાબેન મુકેશભાઈ મકવાણા નામની ૨૮ વર્ષિય પરિણીતાએ તેના ઘેર ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજયું હતું.બનાવને પગલે બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી હતી મૃતક નીતાબેનનો લગ્નગાળો દસ વર્ષનો હોય બનાવની જાણ થતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.તાલુકા પોલીસ મથકના એ.એલ.પરમાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા સામે આવ્યું હતું કે મૃતક નીતાબેનને મૂળ સુરેન્દ્રનગરના અને હાલ રફાળેશ્વર ગામે રહેતા કોઈ યુવાન સાથે આંખ મળી ગઈ હતી અને તે બાબતની મૃતકના પતિને જાણ થતાં તેમણે નીતાબેનના પિયરમાં આ અંગે જાણ કરી હતી અને નીતાબેનને સમજાવવા માટે કહ્યું હતું તે વાતને લઈને નીતાબેનને ઉપરોક્ત અંતિમ પગલું ભરી લેતાં અને તેમના ઘેર ગળેફાંસો ખાઇ લેતા તેણીનું મોત નીપજ્યું હતું.

દંપતી સારવારમાં

મોરબી તાલુકાના ચાંચાપર ગામે આવેલ પેટ્રોલ પંપ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બે બાઇક સામસામે અથડાતાં સર્જાયેલા અકસ્માત બનાવમાં ચકમપર ગામના રહેવાસી દુર્લભજીભાઈ ડાયાભાઈ શેરસીયા (૫૦) અને જશુબેન દુર્લભજીભાઈ શેરસીયા (૪૮) ને ઇજાઓ થવાથી બંનેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.માથાના ભાગે ઇજાઓ હોવાથી દુર્લભજીભાઈને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.હાલ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે

ઝેરી અસર થતાં સારવારમાં

હળવદ તાલુકાના દેવીપુર ગામે ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થતા વિકાસ હસનભાઈ આદિવાસી નામના ૩૦ વર્ષીય યુવાનને મોરબીની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હોવાનું હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા જાણવા મળેલ છે બનાવ હળવદ વિસ્તારનો હોય આ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.તે રીતે જ હળવદના હિતેશભાઈ હેમંતભાઈ શેઠ નામના ૫૨ વર્ષીય આધેડે વ્યાજખોરોના ત્રાસને લીધે ફિનાઇલ પી લેતા તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.






Latest News