મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબીમાં પત્નીના આડા સંબંધની પીયરમાં જાણ કરતા પરિણીતાએ ગળેફાંસો ખાઇને જીવ દીધો


SHARE













મોરબીમાં પત્નીના આડા સંબંધની પીયરમાં જાણ કરતા પરિણીતાએ ગળેફાંસો ખાઇને જીવ દીધો

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે મહાદેવના મંદિર પાસે રહેતી પરિણીતાએ તેના ઘેર ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજયું હતું જેથી મૃતકના પતિએ ડેડબોડીને સિવિલે ખસેડતા તાલુકા પોલીસમાં જાણ થઈ હતી અને પોલીસે તપાસ હાથ ધરતા ચોંકાવનારું કારણ સામે આવ્યુ હતું કે મૃતક મહિલાને મૂળ સુરેન્દ્રનગરના અને હાલ રફાળેશ્વર ગામે રહેતા કોઈ યુવાન સાથે આંખ મળી ગઈ હોય અને તે બાબતે તેના પતિને જાણ થઇ જતાં પતિએ પરિણીતાના પિયરમાં જાણ કરીને સમજાવવા કહ્યુ હતુ તે બાબતને લઈને પરિણીતાએ અંતિમ પગલું ભરી લેતા તેણીનું મોત નીપજ્યું હતું

મોરબીના રફાળેશ્વર ગામે મહાદેવના મંદિર પાસે રહેતા નીતાબેન મુકેશભાઈ મકવાણા નામની ૨૮ વર્ષિય પરિણીતાએ તેના ઘેર ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજયું હતું.બનાવને પગલે બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી હતી મૃતક નીતાબેનનો લગ્નગાળો દસ વર્ષનો હોય બનાવની જાણ થતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.તાલુકા પોલીસ મથકના એ.એલ.પરમાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા સામે આવ્યું હતું કે મૃતક નીતાબેનને મૂળ સુરેન્દ્રનગરના અને હાલ રફાળેશ્વર ગામે રહેતા કોઈ યુવાન સાથે આંખ મળી ગઈ હતી અને તે બાબતની મૃતકના પતિને જાણ થતાં તેમણે નીતાબેનના પિયરમાં આ અંગે જાણ કરી હતી અને નીતાબેનને સમજાવવા માટે કહ્યું હતું તે વાતને લઈને નીતાબેનને ઉપરોક્ત અંતિમ પગલું ભરી લેતાં અને તેમના ઘેર ગળેફાંસો ખાઇ લેતા તેણીનું મોત નીપજ્યું હતું.

દંપતી સારવારમાં

મોરબી તાલુકાના ચાંચાપર ગામે આવેલ પેટ્રોલ પંપ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બે બાઇક સામસામે અથડાતાં સર્જાયેલા અકસ્માત બનાવમાં ચકમપર ગામના રહેવાસી દુર્લભજીભાઈ ડાયાભાઈ શેરસીયા (૫૦) અને જશુબેન દુર્લભજીભાઈ શેરસીયા (૪૮) ને ઇજાઓ થવાથી બંનેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.માથાના ભાગે ઇજાઓ હોવાથી દુર્લભજીભાઈને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.હાલ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે

ઝેરી અસર થતાં સારવારમાં

હળવદ તાલુકાના દેવીપુર ગામે ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થતા વિકાસ હસનભાઈ આદિવાસી નામના ૩૦ વર્ષીય યુવાનને મોરબીની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હોવાનું હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા જાણવા મળેલ છે બનાવ હળવદ વિસ્તારનો હોય આ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.તે રીતે જ હળવદના હિતેશભાઈ હેમંતભાઈ શેઠ નામના ૫૨ વર્ષીય આધેડે વ્યાજખોરોના ત્રાસને લીધે ફિનાઇલ પી લેતા તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.






Latest News