મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !
Breaking news
Morbi Today

મોરબીમાં ખરીદીએ જતાં માતા-પિતા સાથે ન લઈ જતા સગીરાએ કર્યો આપઘાત


SHARE







મોરબીમાં ખરીદીએ જતાં માતા-પિતા સાથે ન લઈ જતા સગીરાએ કર્યો આપઘાત

મોરબીના કેરાળા (હરીપર) ગામે સીમ વિસ્તારમાં આવેલ વાડીમાં રહીને મજૂરીકામ કરતા મુળ મધ્યપ્રદેશના મજૂર પરિવારની સગીરવયની યુવતીએ લીંબડાના ઝાડ સાથે દોરડું બાંધીને ગળેફાંસો ખાઇ લેતાં તેણીનું મોત નિપજ્યુ હતું.જેથી બનાવને પગલે તાલુકા પોલીસ સ્ટાફે સ્થળ પર જઈને તપાસ હાથ ધરતા ચોંકાવનારું કારણ સામે આવ્યુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકાના કેરાળા (હરીપર) ગામે રવાપર(નદી) ના રસ્તે જીતેન્દ્રભાઈ ચારોલાની વાડીએ રહીને છેલ્લા બે વર્ષથી ખેતમજુરીનું કામ કરતા મુળ મધ્યપ્રદેશના કમલેશભાઈ મંગલીયાભાઈ મકવાણા જાતે આદિવાસીની ૧૬ વર્ષીય પુત્રી લલીતાબેને તા.૧૧-૩ ના રાત્રીના કોઈ કારણોસર બાજુમાં આવેલી વાડીના લીંમડાના ઝાડમાં દોરડું બાંધીને ગળેફાંસો ખાઇ લેતાં લલીતાબેન કમલેશભાઈ મકવાણા નામની ૧૬ વર્ષીય આદિવાસી સગીરાનું મોત નિપજ્યું હતું.બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતીએ સ્થળ ઉપર જઈને તપાસ હાથ ધરી હતી.ડેડબોડીને પીએમ માટે સિવિલે ખસેડીને તપાસ હાથ ધરવામાં આવતા સામે આવ્યું હતું કે મૃતક લલીતાબેનના માતા-પિતા ખરીદી માટે પાવડીયારી જતા હોય અને લલીતાબેનને તેઓની સાથે જવું હતું.જો કે માતા-પિતાએ સાથે આવવાની ના પાડતા અને ઘરે રહેવા જણાવ્યું હતું જે બાબતનું મનોમન લાગી આવતા લલીતાબેને ઉપરોક્ત અંતિમ પગલું ભરી લીધું હતું..! બે બહેનો અને એક ભાઈમાં મૃતક લલીતાબેન સૌથી મોટા હોવાનું જાણવા મળેલ છે.

યુવતી સારવારમાં

મોરબી નજીકના નાની વાવડી ગામે આવેલ કબીર આશ્રમ પાસેની ભક્તિનગર સોસાયટી શેરી નંબર-૨ માં રહેતી કુંદનબેન કાળુભાઈ દલાભાઈ ગોગરા નામની ૨૪ વર્ષીય યુવતીએ કોઇ કારણોસર તેના ઘરે એસિડ પી લેતાં તેણીને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જેથી હોસ્પિટલ સૂત્રો દ્વારા જાણ થતાં હાલમાં સીટી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે. જોકે હાલ કુંદનબેન બેભાન હાલતમાં હોય કયા કારણોસર તેણીએ ઉપરોક્ત પગલું ભર્યું છે..? તે જાણવા પોલીસે આગળની તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના કુબેરનગર વિસ્તાર પાસે આવેલ નવજીવન સોસાયટીમાં રહેતી હિરલબેન ભરતભાઈ જોશી નામની ૨૫ વર્ષીય યુવતી બાઈકમાં બેસીને જતી હતી ત્યારે માળીયા હાઈવે ઉપર ભક્તિનગર ગામ પાસે બાઇક સ્લીપ થઇ જતાં તેણીને ઇજા થતા અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા બેબીબેન બાબુભાઈ સુરેલા નામના ૪૯ વર્ષીય મહિલા ઘુંટુ રોડ ઉપર આવેલા સોના સિરામિક નજીકથી બાઈકમાં બેસીને જતા હતા તે દરમિયાનમાં તેઓ બાઇકમાંથી નિચે પડી જતાં ઇજાગ્રસ્ત થયેલા બેબીબેનને સારવાર માટે ખસેડાયા હતા.






Latest News