મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં કડિયા કામની મજૂરી બાબતે બોલાચાલી બાદ મારામારી


SHARE













મોરબીમાં કડિયા કામની મજૂરી બાબતે બોલાચાલી બાદ મારામારી

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં યુવાનને તેના કૌટુંબિક ભાઇ સાથે કડીયાકામની મજૂરીના પૈસા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં યુવાનને સારવાર માટે ખસેડાયો હતો અને બાદમાં યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરામાં રહેતા જયેશ રવજીભાઈ ચૌહાણ નામના ૨૮ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ જયેશ ચૌહાણે તેના કૌટુંબિક ભાઇ અને રોહીદાસપરામાં મહાકાળી માતાના મઢ પાસે રહેતા દિલીપ ખીમજીભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, બંને કૌટુંબિક ભાઈઓ થતા હોય અને સાથે કડીયાકામની મજૂરીનું કામકાજ કરતા હતા દરમિયાન કડીયાકામની મજુરીના પૈસા બાબતે દિલીપે બોલાચાલી કરી હતી અને તે દરમિયાન દિલીપ ચૌહાણ દ્વારા તેને ઢીકાપાટુ વડે માર મારવામાં આવ્યો હતો હાલ બી ડિવિઝન પોલીસે જયેશભાઇની ફરીયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

મહિલા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર ઘર નજીક ઝેરી જનાવર કરડી જતા મધુબેન ગણપતભાઇ ડીંડોર નામની ૩૫ વર્ષીય મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના માળિયા મિંયાણા તાલુકાના નાની બરાર ગામે રહેતા પુનિત પ્રવીણભાઈ પરમાર નામના ૧૮ વર્ષીય યુવાને તેના ઘેર કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના નગર દરવાજા ચોક પાસે ગઇકાલે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ થવાથી અહીંના ગ્રીનચોક વિસ્તારમાં રહેતા સંગીતાબેન રવિભાઈ વાઢેરા (ઉમર ૩૦) અને તેમના પુત્ર પ્રણય રવિભઆઇ વઢેરા (ઉમર ૪) ને ઈજાઓ થતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવાયા હતા. જ્યારે મોરબીના વાવડી રોડ ઉપર રહેતા રાજેશભાઈ કાંતિભાઈ વિઠ્ઠલાપરા નામનો ૩૫ વર્ષીય યુવાન પોતાની દુકાનેથી ઘરે જતો હતો ત્યારે શહેરના ગાંધીચોક પાસે કોઇ એક્ટીવાના ચાલકે તેને હડફેટે લેતા ઇજા થવાથી રાજેશ વિઠ્ઠલાપરાને સારવારમાં ખસેડાયો હતો.






Latest News