મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ


SHARE









મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ

તાજેતરમાં જાહેર થયેલ પાંચ વિધાનસભા ચૂંટણીનાં પરિણામ પછી આમ આદમી પાર્ટીમાં પણ જોશ વધ્યો છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિલ્હીના મહેરોલીના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સહિત મોરબી જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ યાત્રામાં દિલ્હીની મહેરોલી બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશભાઈ યાદવ, ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણભાઈ રામ, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ, મોરબી જિલ્લા પ્રભારી શિવાજીભાઈ ડાંગર, મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વસંતભાઇ ગોરીયા, મહામંત્રી સંજયભાઈ ભટાસણા તેમજ જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા અને આ તિરંગા યાત્રા ભક્તિનગર સર્કલ, ઉમિયા સર્કલ, અવની ચોકડી, રવાપર ચોકડી, બાપા સીતારામ ચોક, નવા બસ સ્ટેન્ડ, ગાંધી ચોક, વિજય ટોકીઝ સહિતના શહેરમાં થઈને વીસીપરા પાસે પૂરી કરવામાં આવી હતી અને આ યાત્રા દરમ્યાન જે રીતે લોકો તરફથી આવકાર મળ્યો હતો અને ખાસ કરીને દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટી જે રીતે લોકોના કામ કરીને આગળ વધી રહી છે આવી જ રીતે ગુજરાતમાં પણ આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી વિધાનસભાની ચુંટણીમાં પૂરી તાકાત સામે મેદાનમાં ઉતરશે અને જનતાના આશીર્વાદ તેને સો ટકા મળશે તેવો વિશ્વાસ આગેવાનોએ વ્યક્ત કરેલ છે






Latest News