મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ


SHARE







મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ

તાજેતરમાં જાહેર થયેલ પાંચ વિધાનસભા ચૂંટણીનાં પરિણામ પછી આમ આદમી પાર્ટીમાં પણ જોશ વધ્યો છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિલ્હીના મહેરોલીના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સહિત મોરબી જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ યાત્રામાં દિલ્હીની મહેરોલી બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશભાઈ યાદવ, ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણભાઈ રામ, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ, મોરબી જિલ્લા પ્રભારી શિવાજીભાઈ ડાંગર, મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વસંતભાઇ ગોરીયા, મહામંત્રી સંજયભાઈ ભટાસણા તેમજ જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા અને આ તિરંગા યાત્રા ભક્તિનગર સર્કલ, ઉમિયા સર્કલ, અવની ચોકડી, રવાપર ચોકડી, બાપા સીતારામ ચોક, નવા બસ સ્ટેન્ડ, ગાંધી ચોક, વિજય ટોકીઝ સહિતના શહેરમાં થઈને વીસીપરા પાસે પૂરી કરવામાં આવી હતી અને આ યાત્રા દરમ્યાન જે રીતે લોકો તરફથી આવકાર મળ્યો હતો અને ખાસ કરીને દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટી જે રીતે લોકોના કામ કરીને આગળ વધી રહી છે આવી જ રીતે ગુજરાતમાં પણ આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી વિધાનસભાની ચુંટણીમાં પૂરી તાકાત સામે મેદાનમાં ઉતરશે અને જનતાના આશીર્વાદ તેને સો ટકા મળશે તેવો વિશ્વાસ આગેવાનોએ વ્યક્ત કરેલ છે






Latest News