મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !
Breaking news
Morbi Today

મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રમુખ-ખજાનચી પાસે ખર્ચની વિગત માંગતી મહિલાને ઢીબી નાખી: એસપીને રજૂઆત


SHARE







મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રમુખ-ખજાનચી પાસે ખર્ચની વિગત માંગતી મહિલાને ઢીબી નાખી: એસપીને રજૂઆત

મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનની મિટિંગમાં પ્રમુખ, ખજાનચી અને કમિટીના સભ્ય પાસે ખર્ચની વિગતો મહિલા દ્વારા માગવામાં આવી હતી જેથી કરીને ઉશ્કેરાઈ ગયેલ પ્રમુખ સહિતના ત્રણેય શ્ખ્સોએ તેને ગાળો આપીને માર માર્યો હતો જેથી મહિલાને સારવારમાં ખસેડવામાં આવી હતી અને તેને પોલીસને જાણ કરી હતી તો પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેથી ભોગ બનેલ મહિલા સ્થાનિક લોકોને સાથે રાખીને એસપીને રજૂઆત કરવા માટે પહોચી હતી

મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનમાં રહેતા સબાનાબેન યુનુસભાઈ કાસમાણીએ  જિલ્લાના એસપીને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રમુખ રાજુભાઈ ભંભાણી, કમીટી સભ્ય ૨મેશભાઈ ધુમલ અને ખજાનચી જનકભાઈ રાજાએ તા ૧૩/૩/૨૨ ના રોજ સમય રાત્રીના ૧૧ વાગ્યે સોસાયટીમાં મીટીંગનુ આયોજન કરેલ હતું તે સમયે તેઓએ ઉપરોક્ત ત્રણેય પાસેથી સોસાયટીના ખર્ચની માહીતી માંગી હતી જેથી તે ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા અને તેની સાથે બેફામ અભદ્ર વર્તન કરીને ગાળો આપી હતી

ત્યારે સબાનાબેનએ ગાળો બોલવાની ના પાડતા ત્રણેય શખ્સોએ તેને ઢોર માર મારેલ હતો જેથી તેઓને સરકારી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને લાગુ પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી હતી જેથી પોલીસ સીવીલ હોસ્પીટલે આવી હતી અને બનાવની માહીતી આપી હતી પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી અને બાદમાં તેઓની અરજીને પણ એ ડિવિઝ્નમાં લેવામાં આવી ન હતી જેથી તેઓ એસપીને લેખિત રજૂઆત અને ફરિયાદ કરવા માટે સ્થાનિક લોકો સાથે પહોચ્યા હતા અને પ્રમુખ, ખજાનચી સહિતના ત્રણેયની સામે કાયદેસરની તટસ્થ કાર્યવાહી કરવામાં આવે અને તેઓને ન્યાય અપાવવામાં આવે તેવી માંગ કરેલ હતી






Latest News