ધૂળેટીની અસર: મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસની ધોંસ યથાવત
મોરબીના મકનસર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત
SHARE
મોરબીના મકનસર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે મોડી રાત્રીના સર્જાયેલ વાહન અકસ્માતના બનાવમાં વાંકાનેર તાલુકાના પંચાસર ગામના યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ નજીક આવેલા એકસલ સીરામીક પાસે ગત મોડી રાત્રીના દસેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવમાં બાઇક લઇને મોરબી તરફ જઇ રહેલા વાંકાનેર તાલુકાના પંચાસર ગામના વતની એવા એઝાઝ અબ્દુલભાઇ હાલા નામના ૨૩ વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજયું હતું.બનાવને પગલે તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલે ખસેડવામાં આવતા તાલુકા પોલીસને જાણ થતાં તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારે તપાસ હાથ ધરી હતી.જેમાં હાલ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે વાંકાનેર તાલુકાના પંચાસર ગામનો એઝાઝ હાલા નામનો યુવાન કે જે બંધુનગર પાસે આવેલા ટ્રાન્સપોર્ટની ઓફિસમાં કામકાજ કરતો હતો અને તે ગત રાત્રીના દસ વાગ્યે બંધુનગર તરફથી મોરબી જવા માટે નીકળ્યો હતો.તે અંગત કામે મોરબી જતો હતો તે દરમિયાનમાં મકનસરના એકસલ સીરામીક પાસે ઉપરોક્ત વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.મૃતક તેનું બાઅક લઇને જતો હતો ત્યારે અકસ્માતે બાઇક સ્લીપ થઈ જવાથી આ બનાવ બન્યો છે કે અન્ય કોઈ વાહનના ચાલકે તેને બાઇક સહીત હડફેટે લીધો છે..? તે દિશામાં તપાસ માટે તાલુકા પોલીસે સીસીટીવી ચકાસવા અને આસપાસના લોકોના નિવેદનો લેવા આગળની તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.
મહિલા સારવારમાં
મોરબીના જેલ ચોક સામેના વિસ્તારમાં રહેતા મનિષાબેન કેયુરભાઈ વાઘેલા નામની ૪૪ વર્ષીય મહિલા મોટરસાયકલના પાછળના ભાગે બેસીને જતા હતા તે દરમિયાન રસ્તામાં તેઓ બાઇકમાંથી નીચે પડી જતા ઈજાગ્રસ્ત થયેલા મનિષાબેન વાઘેલાને સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબી તાલુકાના હજનારી ગામના રહેવાસી ગોકળભાઈ દેવજીભાઈ ગામી નામના ૮૪ વર્ષીય વૃદ્ધ મોરબીની ન્યુ ચંદ્રેશનગર સોસાયટી પંચાસર રોડ પાસેથી પગપાળા જતા હતા તે દરમિયાન અજાણ્યા બાઇક ચાલકે તેમને હડફેટે લેતા ગોકળભાઈ ગામીને સારવાર માટે ખસેડાયા હતા.
યુવાન સારવારમાં
હળવદ તાલુકાના રાયધ્રા ગામનો રહેવાસી નવઘણભાઈ સોમાભાઈ ચડાસણીયા નામનો ૪૬ વર્ષીય યુવાન પોતાનું બાઈક લઇને ઘર તરફથી વાડીએ જતો હતો તે દરમિયાન રસ્તામાં બાઇકમાંથી પડી જતા ઇજાગ્રસ્ત નવઘણભાઈને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના ગ્રીન ચોક વિસ્તારની નાગનાથ શેરીમાં રહેતા નમ્રતાબેન સુમિતભાઈ નિમાવત નામની ૩૦ વર્ષીય મહિલા શહેરના મબેન્દ્રડ્રાઇવ રોડ ઉપરથી પગપાળા જતી હતી તે દરમિયાન અજાણ્યા બાઇક ચાલકે તેણીને હડફેટે લેતા નમ્રતાબેનને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા બનાવને પગલે પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.