મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં હોળી ફરતે રમતા સમયે દાઝી ગયેલ યુવાન રાજકોટ ખસેડાયો


SHARE











મોરબીમાં હોળી ફરતે રમતા સમયે દાઝી ગયેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના વીસીપરામાં આવેલા રોહીદાસપરામાં રહેતો વિશાલ દલપતભાઈ ચૌહાણ નામનો ૨૭ વર્ષીય યુવાન ઘર નજીક દાઝી ગયેલી હાલતમાં અહિંની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને ત્યાંથી તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હોવાનું હાલ પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.વધુમાં મોરબી ડિવિઝન બી ડિવિજન પોલીસ મથકના એએસઆઇ વશરામભાઇ મેતાના જણાવ્યા પ્રમાણે વિશાલ ચૌહાણ નામનો યુવાન અન્ય યુવાનોની સાથે હોળીની ફરતે રમતો હતો તે દરમિયાનમાં પગમાં ઠેસ આવતા તે હોળીમાં પડી ગયો હતો.છાતીના ભાગે દાઝી જવાથી તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો છે.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા જીલુભાઇ રાયમલભાઈ નાગાણી વાંજા નામના ૪૫ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડાયો હતો.

નજીવી વાતે મારામારી

મોરબીના વીસીપરા વિસ્તારમાં નજીવી બાબતે મારામારી થઈ હતી અને આ સામસામી મારામારીના બનાવમાં કાનજીભાઈ સામતભાઈ ઇન્દરીયા (૪૨), રમેશ ચીના ઇન્દરીયા (૩૨), સુનીલ ચીના ઇન્દરીયા (૨૨), હેતલબેન સંજયભાઈ ઇન્દરીયા (૨૩) અને કાનજી મેરૂ જાસલીયા (૮૦) તેમજ સુનિલ કાનજી જાસલીયા (૨૫) ને ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયા હતા બનાવની જાણ થતાં બીટ જમાદાર વી.ડી.મેતાએ તપાસ કરતાં ખુલ્યુ હતુ કે સાંકડી શેરીમાંથી બાઈક લઈને જતા સમયે બાઈક ખુરશીની સાથે અથડાયું હતું અને ખુરશીમાં બેઠેલા બાળકને નજીવી ઈજા થતાં તે વાતને લઈને બે પરિવાર વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો અને તેમાં સામાન્ય મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેઓને સારવાર માટે ખસેડાયા હતા.તે રીતે જ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા અબ્દુલ હુસેન જીંગીયા નામના ૨૬ વર્ષના યુવાને પોતાના ઘેર ફિનાઇલ પી લેતા તેને પણ સારવાર માટે સિવિલ લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જૂની કુબેર સિનેમા પાસે સર્જાયેલા અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં પ્રદીપભાઈ પટેલ નામના યુવાનને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો.






Latest News