મોરબીમાં મંત્રી બ્રિજેશભાઇના અધ્યક્ષસ્થાને એટીવીટી કાર્યવાહક સમિતિની બેઠક મળી
મોરબી ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
SHARE









મોરબી ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
મોરબી જિલ્લા રોજગાર અધિકારીની અખબારી યાદીમાં જણાવાયા અનુસાર નિયામક, રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૨૫-૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યૂ.એન.મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રોના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોન મેટ્રીક, એસએસસી, એચએચસી, આઇટીઆઇ, સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું અને રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ વધુમાં જણાવાયું છે
