મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ પાસે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE











ટંકારાના લજાઈ પાસે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઈ ગામથી હડમતીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર તળાવમાં નાહવા પડેલો યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીમાં ડૂબેલા યુવકની શોધખોળ શરૂ કરી હતી અને પાણીમાં ડૂબેલા યુવકની લાશને બહાર કાઢી પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવતા લજાઈ ગામથી હડમતીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર પાણીના તળાવમાં યુવાન ડૂબી ગયો હોવા અંગેની મોરબી નગરપાલિકાના ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયર વિભાગના સલિમભાઈ નોબે સહિતના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તળાવની અંદર ડૂબી ગયેલા યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને ત્યાર બાદ યુવાનની લાશને પાણીની અંદરથી બહાર કાઢવામાં આવી હતી અને તે યુવાનનું નામ અનિલકુમાર જે. પટેલ રહે, મૂળ એમપી વાળો હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરે છે






Latest News