મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં શહિદ દિને નીલકંઠ વિદ્યાલય દ્વારા શહીદ સ્મૃતિ રેલી યોજાશે


SHARE







મોરબીમાં શહિદ દિને નીલકંઠ વિદ્યાલય દ્વારા શહીદ સ્મૃતિ રેલી યોજાશે

મોરબીમાં આવેલ નીલકંઠ વિદ્યાલય દ્વારા શહીદ સ્મૃતિ રેલી આયોજન કરવામાં આવ્યું છે અને નીલકંઠ વિદ્યાલયના ધો.૫ થી ૧૧ ના વિદ્યાર્થીઓ આપણા ભારત દેશની આઝાદીમાં મહામૂલ્ય ફાળો આપનાર ૭૫ જેટલા ક્રાંતિકારીઓની વેશભૂષામાં જોવા મળશે અને તેમની દેશ પ્રત્યેની નિષ્ઠા,ત્યાગ તેમજ તેમણે આપેલ અમૂલ્ય કુરબાનીની મોરબીના લોકો ને સ્મૃતિ અપાવશે. આ રેલીમાં ૨૦૦ વિદ્યાર્થીઓ આર્મી યુનિફોર્મમાં પરેડ કરશે, ૫૦ વિદ્યાર્થીઓ નેવી અને ૫૦ વિદ્યાર્થીઓ એર ફોર્સના યુનિફોર્મમાં પરેડ કરશે, મોરબીના એક્સ આર્મી ઓફિસર અને ક્રાંતિકારી સેના પણ રેલીમાં જોડાશે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. આ રેલીમાં નીલકંઠ વિદ્યાલયના ૭૫૦ વિદ્યાર્થીઓ જોડાશે અને પરેડ કરશે અને રેલીની શરૂઆત સવારે ૮:૩૦ કલાકે નીલકંઠ વિધાલયથી કરવામાં આવશે. તેવું જીતુભાઈ વડસોલાએ જણાવ્યુ છે






Latest News