મોરબી જિલ્લામાં કાલે ભાજપ દ્વારા ઓરલ હેલ્થ એન્ડ ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાશે
મોરબીમાં તરૂણી સાથે દુષ્કર્મ આચારી તેની હત્યા કરીને લૂંટ કરનારા આરોપીને આજીવન કેદની સજા
SHARE
મોરબીમાં તરૂણી સાથે દુષ્કર્મ આચારી તેની હત્યા કરીને લૂંટ કરનારા આરોપીને આજીવન કેદની સજા
મોરબીમાં તરૂણી સાથે દુષ્કર્મ આચારીને તેની હત્યા કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો ક્રોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટાકરી છે.
વર્ષ ૨૦૧૬ના જુલાઇ માહિનામાં મોરબીમાં સગીરાને આરોપી બબલુરાય ઉર્ફે અભિમન્યુ રામસવારે બીસુનારાય નામના શખ્સે હવાસનો શિકાર બનાવી હતી અને દુષ્કર્મ આચર્યું હતું અને તે સગીરાની ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને સગીરાએ પહેરેલા દગીનાની લૂંટ પણ કરી હતી જે બનાવમાં મૃતક સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને આ કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો ક્રોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજયભાઈ દવેની દલીલો અને આધાર પુરાવાને ધ્યાને લઇ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટાકરી છે