મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં તરૂણી સાથે દુષ્કર્મ આચારી તેની હત્યા કરીને લૂંટ કરનારા આરોપીને આજીવન કેદની સજા


SHARE







મોરબીમાં તરૂણી સાથે દુષ્કર્મ આચારી તેની હત્યા કરીને લૂંટ કરનારા આરોપીને આજીવન કેદની સજા

મોરબીમાં તરૂણી સાથે દુષ્કર્મ આચારીને તેની હત્યા કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો ક્રોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટાકરી છે.

વર્ષ ૨૦૧૬ના જુલાઇ માહિનામાં મોરબીમાં સગીરાને આરોપી બબલુરાય ઉર્ફે અભિમન્યુ રામસવારે બીસુનારાય નામના શખ્સે હવાસનો શિકાર બનાવી હતી અને દુષ્કર્મ આચર્યું હતું અને તે  સગીરાની ગળું દબાવીને  હત્યા કરી નાખી હતી અને સગીરાએ પહેરેલા દગીનાની લૂંટ પણ કરી હતી જે બનાવમાં મૃતક સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને આ કેસ મોરબીની સ્પેશ્યલ પોકસો ક્રોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજયભાઈ દવેની દલીલો અને આધાર પુરાવાને ધ્યાને લઇ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટાકરી છે 






Latest News