મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં શહીદ દિન નિમિતે એબીવીપીના આયામ સ્ટુડન્ટ ફોર સેવા દ્વારા યોજાશે બ્લડ ડોનેશન કેમ્પ


SHARE







મોરબીમાં શહીદ દિન નિમિતે એબીવીપીના આયામ સ્ટુડન્ટ ફોર સેવા દ્વારા યોજાશે બ્લડ ડોનેશન કેમ્પ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ ૧૯૪૯ થી વિદ્યાર્થીહિત તેમજ રાષ્ટ્રહિત માટે કાર્યરત વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે.વિદ્યાર્થી પરિષદએ માત્ર શિક્ષણ જગત પુરતુ સીમિત નથી પરંતુ વિધાર્થીઓ પણ સમાજને કેવી રીતે મદદરૂપ થઈ શકે તેવી ભાવના સાથે કોરોના જેવી મહામારીમાં પણ તંત્ર અને સમાજ સાથે ખડે પગે ઉભુ રહ્યુ હતુ.તે જ રીતે એબીવીપીના સ્ટુડન્ટ ફોર સેવાના આયામ અંતર્ગત આગામી ૨૩ માર્ચ એટલે કે શહીદ દિન નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયેલ છે.

તા.૨૩-૩ ના રોજ આ કેમ્પ સંસ્કાર બ્લડ બેંક ખાતે સવારે નવ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી યોજાશે.રક્તદાતાઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે.વિદ્યાર્થીમિત્રો તેમજ સર્વે નાગરિકો આ કેમ્પમાં જોડાય તેવી એબીવીપી પરિવારે અપિલ કરેલ છે.તદ ઉપરાંત આગામી સમયમાં કોલેજ કેમ્પસોમાં બ્લડ ડિરેક્ટરીની રચના પણ કરાશે.આ કાર્યક્રમના ઇન્ચાર્જ શક્તિસિંહ ઝાલા નગર સંયોજક(મો.૯૬૮૭૫ ૩૫૯૩૯) તેમજ રાજદીપસિંહ જાડેજા નગર હોસ્ટેલ સંયોજક (મો.૮૨૩૮૩ ૧૫૬૦૦) હોય વધુ માહિતી માટે તેમનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News