મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીની જુદીજુદી બે પેપર મિલોમાં છેલ્લા પાંચ દિવસમાં આગ લાગવાથી કારખાનેદારોને નવ કરોડનું નુકશાન


SHARE













મોરબીની જુદીજુદી બે પેપર મિલોમાં છેલ્લા પાંચ દિવસમાં આગ લાગવાથી કારખાનેદારોને નવ કરોડનું નુકશાન

મોરબી જીલ્લામાં અગાઉ બે પેપર મિલમાં આગ લાગવાની ઘટના બની ગયેલ છે તો પણ આજ સુધી ફાયરની કોઈ સારી સુવિધા મોરબી જિલ્લા માટે હજુ સુધી કરવામાં આવી નથી તેવામાં મોરબીની આરટીઓ કચેરી પાસે અને  હરિપર ગામ પાસે આવેલ જુદીજુદી બે પેપર મિલોમાં છેલ્લા પાંચ દિવસમાં આગ લાગવાના જુદાજુદા બે બનાવ બનેલ છે જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી જો કે, કારખાનેદારોને કુલ મળીને નવ કરોડ રૂપિયાનું નુકશાન થયેલ છે

મોરબીના ગોર ખીજડિયા ગામ તરફ જવાના રસ્તે નેકસા પેપરમિલમાં રવિવારે રાતે કોઈ કારણોસર આગ લાગી હતી અને વેસ્ટ પેપરના જથ્થામાં આગ લગતા થોડી જ વારમાં આગ આખા સેડમાં ફેલાઈ ગયેલ હતી અને વેસ્ટ પેપરનો મોટો જથ્થો આગમાં બળીને ખાખ થઈ ગયો હતો આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયર વિભાગના દેવેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવવા પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો જો કે આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં વેસ્ટ પેપરનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો જે ઘટના સંદર્ભે મોરબીના રવાપર રોડ ઉપર રહેતા કારખાનેદાર વિજય ધરમશી મોરડીયાએ મોરબી તાલુકા પોલીસ મથકે જાહેરાત કરી હતી કે, તેઓના યુનિટની અંદર વેસ્ટ પેપરના જથ્થામાં આગ લાગી જવાથી આશરે ૨૦૦૦ ટન જેટલો પેપરનો જથ્થો નાશ પામ્યો હતો અને જેથી અંદાજે સાડા ચાર કરોડનું નુકશાન થયું છે

આવી જ રીતે જ થોડા દિવસો પહેલા એટલે કે, ગત તારીખ ૧૭/૩ ના વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં મોરબીની નવા સાદુળકા ગામે આવેલ એરીકોન પેપર મીલમાં આગ લાગી હતી જેની રવાપર રોડ ઉપર આવેલ અનુપમ સોસાયટીમાં રહેતા કારખાનેદાર અર્જુન અરુણભાઈ સીતાપરા જાતે પટેલ (૨૬)એ મોરબી તાલુકા પોલીસને જાણ કરી છે કે, તેના યુનિટીની અંદર લાગેલી આગમાં કાચો માલનો આશરે ૧૫૦૦ ટન જથ્થો સળગી જતાં આશરે સાડા ચાર કરોડની નુકસાની થવા પામેલ છે જે અંગે જાણવા જોગ દાખલ કરીને બીટ જમાદાર એમ.એલ. બારૈયાએ આગળની તપાસ હાથ ધરી છે.






Latest News