મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે છકડો રીક્ષા પલ્ટી જતાં બાળકી સહિત પાંચને ઈજા


SHARE













મોરબીના મકનસર પાસે છકડો રીક્ષા પલ્ટી જતાં બાળકી સહિત પાંચને ઈજા

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામ નજીક છકડો રિક્ષા પલ્ટી મારી ગઇ હતી જે બનાવમાં ચોટીલાના રહેવાસી પરિવારના પાંચ લોકોને ઇજાઓ થતાં સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યા હતા.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામની પાસે ગઈકાલે છકડો રિક્ષા પલ્ટી મારી ગઇ હતી જેથી કરીને તેમાં બેઠેલા ચોટીલાના રહેવાસી પપ્પુભાઇ શાંતિભાઈ સલાટ, અમરશી જીવાભાઈ સલાટ, સુમિત્રા જગાભાઈ સલાટ, વિક્રમ પુનાભાઈ સલાટ અને આશા જગાભાઈ સલાટ (ઉમર ૨) નામના બાળકી સહીતના પાંચ લોકોને ઇજાઓ થતા તેમને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રંગપર (બેલા) ગામના રહેવાસી બળદેવસિંહ પ્રવિણસિંહ ઝાલા (ઉમર ૨૪) નામના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખોખરા હનુમાન રોડ ઉપર સબ સ્ટેશન નજીક બે બાઇક અથડાતા સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં બળદેવસિંહ ઝાલાને સારવારમાં ખસેડાયેલ છે.જ્યારે મોરબીના નવાગામ (લખધીરનગર) રહેતા મીનાબેન દિનેશભાઇ સોલંકી નામની ૨૯ વર્ષીય મહિલા ભૂલથી ફિનાઇલ પી જતાં તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.બનાવની જાણ થતા તાલુકા પીએસઆઇ આઇ.એમ.અજમેરીએ આગળની તપાસ હાથ ધરી છે.

સામસામી મારામારીમાં ત્રણને ઇજા

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર શોભેશ્વર રોડ નજીકના મફતપરા વિસ્તારમાં સામસામી મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં રાજ પિયુષભાઇ કુંવરિયા (૧૯) અને હિતેશ જેઠાભાઇ ટીડાણીયા (૪૩) નામના બે યુવાનોને ઈજાઓ પહોંચી હતી.તે રીતે જ સામેના પક્ષના મહંમદફરીદ હાસમભાઇ જેડા જાતે મિંયાણા (૨૫) રહે.શોભેશ્વર રોડ મોરબી-૨ નામના ત્રણ યુવાનોને ઇજાઓ થતા ત્રણેયને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

 






Latest News