મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ પોટરીના કવાર્ટરમાં દબાણ કરનાર બે વૃદ્ધા સહિત ચારની ધરપકડ


SHARE













મોરબીમાં પરશુરામ પોટરીના કવાર્ટરમાં દબાણ કરનાર બે વૃદ્ધા સહિત ચારની ધરપકડ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ પરશુરામ પોટરીના લેબર કવાર્ટરમાં વર્ષોથી દબાણ કરીને રહેતા બે વૃદ્ધાની સામે ભોગ બનેલ વૃધ્ધાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને બંને વૃદ્ધા અને તેના દીકરાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પરશુરામ પોટરીમાં રહેતા સવિતાબેન અચ્યુતભાઈ ગણપુલે જાતે મરાઠી બ્રાહ્મણ (ઉંમર ૫૫)એ મોરબી સિટી બી ડીબીઝ્ન પોલીસ સ્ટેશન ખાતે શાંતાબેન દેવશીભાઈ સોલંકી તેમજ ખીમીબેન મોતીભાઇ ભંખોડીયા રહે. બંને પરશુરામ પોટરી કવાટર્સ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તેઓની માલિકીની મોરબી તાલુકાના ત્રાજપર ગામના સીટી સર્વે નંબર-૨૩૬૦/૨ પૈકીની જમીનમા પરશુરામ પોટરી આવેલ છે અને ત્યાં મજુરોના કવાટર્સ બનાવેલ હોય જે પૈકી મકાન નંબર-૪૩ અને ગૌશાળા વાળી લાઇનમા અન્ય એક મકાનમાં ગેરકાયદેસર કબ્જો તેને આ મહિલાઓએ પચાવી પાડેલ છે અને તેનો વપરાશ કરી રહ્યા છે જેથી પોલીસે ભોગ બનેલા સરિતાબેન અચ્યુતભાઈ ગણપુલેની ફરિયાદ લઈને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં શાંતાબેન દેવશીભાઈ સોલંકી (૮૧) તેમજ ત્રિભુવન દેવશીભાઈ સોલંકી (૪૧) રહે. બંને પરશુરામ પોટરી કવાટર્સ હાલ રહે. સોઓરડી સરકારી શાળા પાસે અને ખીમીબેન મોતીભાઇ ભંખોડીયા (૭૧) તેમજ તુલસીભાઈ મોતીભાઈ ભંખોડીયા (૩૯) રહે. બંને પરશુરામ પોટરી કવાટર્સ હાલ રહે. મ્હેન્દ્રનગર મોરબી વાળાની એએસપી અતુલકુમાર બંસલ અને તેની ટીમે ધરપકડ કરેલ છે






Latest News