મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજાશે


SHARE













મોરબીમાં કાલે ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજાશે

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પી.જી. પટેલ કોમર્સ કોલેજ દ્વારા શહીદ દિનની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજાશે જેમાં કોલેજના વિદ્યાર્થી જોડાશે

મોરબીમાં શહીદ દિવસ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ અને પી.જી.પટેલ કોલેજ દ્વારા દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર શહીદોને યાદ કરીને શહીદ ભગતસિંહને વીરાજંલી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે અને ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજાશે જે તિરંગા યાત્રા સવારે ૧૦ વાગ્યે શનાળા રોડે આવેલ સ્કાઈ મોલથી ગાંધીચોક સુધી યોજાશે અને ત્યાં શહીદ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર તેમજ પ્રતીકાત્મક દૂધનો અભિષેક કરવામાં આવશે ત્યારે દેવેનભાઈ રબારીએ જણાવ્યુ હતું કે, શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓને ખરા અર્થે શ્રદ્ધાંજલિ આપવા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના ૧૧૬ યુવાનો એક દિવસના પ્રતીક ઉપવાસ કરીને શહીદ ભગતસિંહને અનોખી રીતે વીરાજંલી અર્પણ કરશે.






Latest News