માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી ખાતે ઇન્ડસ્ટ્રીઝની માંગ આધારિત આઈ.ટી.આઈ. ના કોર્ષમાં પ્રવેશ શરૂ


SHARE

















મોરબી ખાતે ઇન્ડસ્ટ્રીઝની માંગ આધારિત આઈ.ટી.આઈ. ના કોર્ષમાં પ્રવેશ શરૂ

ભારત સરકારના Skill Hub Initiative (SHI) નામના પ્રોજેકટ અંતર્ગત MSDE/NSDC ના માધ્યમથી, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની સરકારી આઈ.ટી.આઈ. મોરબી ખાતે  National Skill Qualification Framework (NSQF) કક્ષાના ઇન્ડસ્ટ્રીઝની માંગ આધારીત ટુંકા ગાળાના વ્યવસાય શરુ કરવામાં આવશે

મોરબી આઈ.ટી.આઈ. ખાતે શરુ કરવાના થતા વ્યવસાય ગ્લેઝીંગ ઓપરેટર (સિરામિક)માં પ્રવેશ મેળવવા માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ૫ પાસ, વ્યવસાયનો સમય ગાળો ૨૫૦ કલાક છે. ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર (કોમ્પ્યુટર) માં પ્રવેશ મેળવવા માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ૧૦ પાસ અને વ્યવસાયનો સમય ગાળો ૪૦૦ કલાક છે. આ વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારની વયમર્યાદા ૧૫ થી ૨૯ વર્ષ છે. આઈ.ટી.આઈ. મોરબી ખાતે ઉપરોક્ત કોર્ષમા પ્રવેશ મેળવવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રકીયા શરૂ કરી દેવામાં આવેલ છે.

વ્યવસાયોમાં તાલીમ  મેળવવા માટે સરકાર દ્વારા ટ્યુશન ફી નિશુલ્ક  નિયત કરવામાં આવેલ છે. જે ઉમેદવારો ટુકા સમયમાં રોજગારી/સ્વરોજગારી મેળવવા ઈચ્છુક છે તેઓને ઉપરોક્ત વ્યવસાયોમાં તાલીમ લેવા ખાસ અનુરોધ કરવામા આવે છે. જેમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે ઉમેદવારે પોતાના શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર, છેલ્લું ધોરણ પાસ કર્યાની માર્કશીટ (વ્યવસાયની પ્રવેશ શૈક્ષણીક લાયકાત અનુસાર), જાતીનુ પ્રમાણપત્ર,BPL કાર્ડ (જો લાગુ પડતું હોય તો), આધારકાર્ડની નકલ સાથે લાવવાની રહેશે. વધુ માહિતી માટે જાહેર રજાના દિવસ સિવાય ૧૦:૦૦ થી ૧૭:૦૦ કલાક દરમ્યાન આઈ.ટી.આઈ. મોરબીનો  રૂબરૂ સંપર્ક કરવો તેમજ ૯૩૨૫૯૫૪૦૨૨, ૮૩૨૦૧૬૯૫૯૯ નંબર પર સંપર્ક કરવા આચાર્ય, ઔધોગીક તાલીમ સંસ્થા, મોરબીજણાવેલ છે




Latest News