મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપ, સાર્થક સ્કૂલ, વિહિપ, બજરંગદળ સહિતની સંસ્થા દ્વારા શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરાઇ


SHARE













મોરબીમાં ભાજપ, સાર્થક સ્કૂલ, વિહિપ, બજરંગદળ સહિતની સંસ્થા દ્વારા શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરાઇ

મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા તથા મહામંત્રી રિષીપભાઈ અને ભાવેશભાઈ કંઝરિયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શહીદ દિવસ નિમિત્તે ગાંધી ચોક ખાતે ભગતસિંહની પ્રતિમાને ફુલહાર કરી વિરાજંલિ અર્પણ કરવામાં આવી હતી. આવી જ રીતે મોરબીના શનાળા ગામે આવેલ સાર્થક વિદ્યામંદિર દ્વારા શહીદ દિવસ નિમિતે શહીદ સ્મરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્મી ગૃપના સભ્યો તેમજ શનાળાના સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા શહીદ વેશભૂષા, વિશાળ રાષ્ટ્રધ્વજ, તલવાર કરતબ તેમજ ભારતમાતા પૂજન જેવા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જયારે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, ગૌરક્ષા મોરબી જિલ્લા, મોરબી શહેર, મોરબી ગ્રામ્યની ટીમ દ્વારા દેશના મહાન ક્રાંતિકારી અને વિર યોદ્ધા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાન દિવસ એટ્લે કે શહિદ દિવસ નિમીતે ગાંધીચોક ખાતે તેમની પ્રતિમાને ફુલહાર કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી






Latest News