મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ભાગવત સપ્તાહનું આયોજન


SHARE













મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ટ્રસ્ટ દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે

મોરબીમાં સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૨૬/૩ થી ૧/૪ સુધી આ કથા ચાલશે અને કથાનો સમય ૩ થી ૭ નો રાખવામા આવેલ છે અને કથાકાર સુહાગભાઇ દવે શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. તેમજ ભાગવત સપ્તાહમાં આવતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ ધામધુમથી ઉજવાશે તા ૨૮ ના રોજ નૃસિંહ પ્રાગટ્ય, તા ૨૯ ના રોજ વામન પ્રાગટ્ય, અને કૃષ્ણ પ્રાગટ્ય, તા.૩૦ ના રોજ ગોવર્ધન પૂજા, તા. ૩૧ ના રોજ રૂક્ષ્મણી વિવાહ, તા.૧ ના રોજ સુદામા ચરિત્ર, અને કથા વિરામ થશે. જેથી કથાનો લાભ લેવા માટે મોરબીના લોકોને આયોજકોએ આમંત્રણ આપ્યું છે






Latest News