મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ભાગવત સપ્તાહનું આયોજન


SHARE







મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ટ્રસ્ટ દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે

મોરબીમાં સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૨૬/૩ થી ૧/૪ સુધી આ કથા ચાલશે અને કથાનો સમય ૩ થી ૭ નો રાખવામા આવેલ છે અને કથાકાર સુહાગભાઇ દવે શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. તેમજ ભાગવત સપ્તાહમાં આવતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ ધામધુમથી ઉજવાશે તા ૨૮ ના રોજ નૃસિંહ પ્રાગટ્ય, તા ૨૯ ના રોજ વામન પ્રાગટ્ય, અને કૃષ્ણ પ્રાગટ્ય, તા.૩૦ ના રોજ ગોવર્ધન પૂજા, તા. ૩૧ ના રોજ રૂક્ષ્મણી વિવાહ, તા.૧ ના રોજ સુદામા ચરિત્ર, અને કથા વિરામ થશે. જેથી કથાનો લાભ લેવા માટે મોરબીના લોકોને આયોજકોએ આમંત્રણ આપ્યું છે






Latest News