મોરબીમાં ભાજપ, સાર્થક સ્કૂલ, વિહિપ, બજરંગદળ સહિતની સંસ્થા દ્વારા શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરાઇ
મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ભાગવત સપ્તાહનું આયોજન
SHARE
મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ભાગવત સપ્તાહનું આયોજન
મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ટ્રસ્ટ દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે
મોરબીમાં સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૨૬/૩ થી ૧/૪ સુધી આ કથા ચાલશે અને કથાનો સમય ૩ થી ૭ નો રાખવામા આવેલ છે અને કથાકાર સુહાગભાઇ દવે શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. તેમજ ભાગવત સપ્તાહમાં આવતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ ધામધુમથી ઉજવાશે તા ૨૮ ના રોજ નૃસિંહ પ્રાગટ્ય, તા ૨૯ ના રોજ વામન પ્રાગટ્ય, અને કૃષ્ણ પ્રાગટ્ય, તા.૩૦ ના રોજ ગોવર્ધન પૂજા, તા. ૩૧ ના રોજ રૂક્ષ્મણી વિવાહ, તા.૧ ના રોજ સુદામા ચરિત્ર, અને કથા વિરામ થશે. જેથી કથાનો લાભ લેવા માટે મોરબીના લોકોને આયોજકોએ આમંત્રણ આપ્યું છે









