મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીના બે ઇસમોને પાસા તળે જેલ હવાલે કરાયા, ફરાર આરોપી ઝડપાયો 


SHARE







મોરબીના બે ઇસમોને પાસા તળે જેલ હવાલે કરાયા, ફરાર આરોપી ઝડપાયો 

મોરબી તાલુકાના ખાનપર ગામના રહેવાસી તેમજ વાંકાનેર તાલુકાના વાલાસણા ગામના રહેવાસી એવા બે બુટલેગર ઈસમો વિરૂધ્ધ પાસા અંગે દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મૂકવામાં આવી હતી જેને જીલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા મંજૂરીની મહોર મારી દેવામાં આવતા એલસીબીના સ્ટાફે બંને ઇસમોને પકડીને સુરત તેમજ પોરબંદરની જેલ હવાલે કરાયો હોવાનું જાણવા મળેલ છે.પકડાયેલા ઇસમો અનેક વખત દારૂના ગુનામાં ઝડપાયા હોય પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

મોરબી એલસીબીના સ્ટાફમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર તાલુકાના વલાસણ ગામે રહેતો સમીર આદમ દલપોત્રા જાતે સંધિ નામનો ૨૭ વર્ષીય યુવાન અનેક વખત દારૂના ગુનામાં પકડાયો હોય તેની વિરૂધ્ધ પાસા અંગે દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મુકવામાં આવી હતી જે દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરીની મહોર મારી દેવામાં આવતા સમીર દલપોત્રાની ધરપકડ કરીને તેને જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ મુજબ સુરતની લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો છે.

તે રીતે જ મોરબી તાલુકાના ખાનપર ગામનો રહેવાસી યશપાલસિંહ ઘનુભા જાડેજા જાતે દરબાર નામના ૨૨ વર્ષીય યુવાન વિરૂધ્ધ પણ દારૂના અનેક ગુના નોંધાયા હોય તેની સામે જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ પાસા અંગે દરખાસ્ત કરવામાં આવી હતી જેને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મંજુર કરવામાં આવતા યશપાલસિંહ જાડેજાની ધરપકડ કરીને હુકમ મુજબ તેને પોરબંદરની જેલ હવાલે મુકવા આગળની કાર્યવાહી કરવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.

આરોપી પકડાયો

વર્ષ ૨૦૧૯માં રાજકોટની ફેમિલી કોર્ટના કેસના આધારે રાજકોટ મધ્યસ્થ જેલમાં રાખવામાં આવેલા મોરબી તાલુકાનાં મોડપર ગામના જગદીશભાઈ માધુભાઈ શ્રીમાળી (ઉંમર ૩૭)ને પાકા કામના કેદી તરીકે રાજકોટની જેલ હવાલે કરવામાં આવે હતો અને તા ૭/૧૧/૨૦૨૦ થી ૧/૧૨૦૨૧ સુધી વચગાળાના જામીન મેળવીને જેલમાંથી મુક્ત થયો હતો અને ત્યારબાદ તે નાશી ગયો હતો જેથી તેને શોધવા માટે પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી રહી હતી અને હાલમાં આરોપને રાજકોટ તાલુકાના સણોસરા ગામે આવેલ ગેસ વેલ્ડીંગના કારખાનામાંથી હસ્તગત કરીને રાજકોટ જેલ હવાલે કરવામાં આવેલ છે






Latest News