મોરબીમાં સેતુબંધ ફાઉન્ડેશન-ઇન્ટરનેશનલ હયુમન રાઈટ્સ એસો. દ્વારા એક દીકરી ધરાવતા દંપતીનું કરશે સન્માન
મોરબીમાં પાલિકા પ્રમુખના વોર્ડમાં સારી પ્રાથમિક સુવિધા ન મળે તો આગામી વિધાનસભા ચુંટણીમાં મતદાનનો બહિષ્કાર
SHARE
મોરબીમાં પાલિકા પ્રમુખના વોર્ડમાં સારી પ્રાથમિક સુવિધા ન મળે તો આગામી વિધાનસભા ચુંટણીમાં મતદાનનો બહિષ્કાર
મોરબી નગરપાલિકા વોર્ડ નં૧૧ માં સતવારા સમાજના લોકો વધુ છે અને હાલમાં પાલિકા પ્રમુખ પણ સતવારા સમાજના છે આટલું જ નહિ તે પાલિકાની ચુંટણીમાં આ વોર્ડમાંથી જ ચૂંટાયેલ છે તો પણ ત્યાં રહેતા લોકોને સારી પ્રાથમિક સુવિધાઓ મળી રહી નથી જેથી સ્થાનિક લોકોની એક મિટિંગ મળી હતી અને તેમાં પાલિકા દ્વારા સારી સુવિધા ન આપવામાં આવે તો પાલિકાનો ઘેરાવ, આંદોલન અને આગામી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે
મોરબી શહેરની એ ગ્રેડ ની ભાજપ શાસિત પાલિકા દ્વારા વોર્ડ નંબર ૧૧ માં પ્રજાને મળવી જોઇએ તે પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી અને પાલિકા સુવિધા આપવામાં સાવ નિષ્ફળ ગયેલ છે હાલમાં પાલિકા પ્રમુખન કે.કે.પરમાર અને તેની સાથે સતવારા સમાજના અન્ય સદસ્ય પણ ભાજપની પેનલમાં ચૂંટાયા છે અને પાલિકામાંથી મળતી માહિતી પ્રમાણે આ વાડી વિસ્તાર માટે સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરેલ છે છતાં આં વિસ્તારના કોઇ કામો કરવામાં આવતા નથી જેથી કરીને વાડી વિસ્તારમાં રોલા રાતડીયાની વાડી, ભાયત રોલની વાડી, કપોરીની વાડી, શીયારની વાડી, પાનેલીની વાડી અને સામતાણીની વાડીના આગેવાનોની એક મીટીંગ મળેલ હતી.
જેમાં મોરબી નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૧૧ માં લાઈટ, સફાઈ, પાણી અને ભૂગર્ભ ગટર અને રોડ-રસ્તાની સુવિઘા આપવામાં આવતી નથી તે માટે સતવારા સમાજ વાડી વિસ્તારની મીટીંગ રોલાં રાતડિયાની વાડીમાં હોળી ચોકમાં મળેલ અને આં પ્રાથમિક સુવિધા માટે ચર્ચા કરવામાં આવી હતી. અને પાલિકામાં અનેક વખત રજુઆત કરવા છતાં પણ પ્રાથમિક સુવિઘા આપવામાં આવતી નથી માટે આવનાર સમયમાં આ વિસ્તારને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નહિ આવે તો આવનાર દિવસોમાં પાલિકાને ઘેરાવ કરવાનું નક્કી કરેલ છે
આટલું જ નહીં આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે તેમ નક્કી કરાયેલ છે. આ વોર્ડ નંબર ૧૧ ના ચારે ચાર સદસ્ય સતવારા સમાજના છે અને પાલિકા પ્રમુખ કે.કે પરમાર પણ સતવારા સમાજના હોવા છતાં વાડી વિસ્તારના કોઇ કામ કરવામાં આવતા નથી માટે સાતેય વાડીના સતવારા સમાજના લોકોએ ચીમકી ઉચારી છે કે, વાડી વિસ્તારને પ્રાથમિક સુવિઘા આપવામાં નહિ આવે તો વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર અને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે