મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

રાજકોટમાં રહેતા વૃદ્ધની ટંકારાના ધૂનડા ગામે આવેલ ખેતીની જમીન ત્રણ શખ્સોએ પચાવી પડી


SHARE













રાજકોટમાં રહેતા વૃદ્ધની ટંકારાના ધૂનડા ગામે આવેલ ખેતીની જમીન ત્રણ શખ્સોએ પચાવી પડી

રાજકોટમાં રહેતા વૃદ્ધની ટંકારાના ધૂનડા સજ્જનપર ગામે જમીન આવેલ છે તેની ૩૬ ગુઠા જમીન ઉપર ત્રણ શખ્સોએ દબાણ કર્યું છે જેથી જમીન પચાવી પાડનારા સામે ટંકારા પોલીસ સ્ટેશને વૃદ્ધે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

હાલમાં રાજકોટ માધવ પાર્કમાં રહેતા ભાવસિંહજી દામજીભાઇ ડોડીયા કે જેની ધૂનડા સજ્જનપર ગામે ખેતીની જમીન આવેલ છે તે ૩૬ ગુઠા ખેતીની જમીન ઉપર મનજીભાઇ ગોરધનભાઇ ફુલતરીયાનિલેશભાઇ ગોરધનભાઇ ફુલતરીયા તથા હરેશભાઇ મનજીભાઇ ફુલતરીયાએ દબાણ કર્યું છે અને જમીનને પચાવી પાડી છે તેમજ ત્યાં વાવેતર કરવા લાગ્યા છે જેથી કરીને વૃદ્ધે લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ અરજી કરી હતી. જેના આધારે ટંકારા પોલીસ સ્ટેશને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ ની કલમ ૩૪(૧)(૩), ૫(ગ) તથા આઇ.પી.સી.કલમ-૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






Latest News