મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં લાયન્સ કલબ ઓફ સીટી દ્વારા ફુડ અને સેનેટરીપેડનું વિતરણ કરાયુ


SHARE













મોરબીના ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં લાયન્સ કલબ ઓફ સીટી દ્વારા ફુડ અને સેનેટરીપેડનું વિતરણ કરાયુ

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા કાયમી કુપોષિત બાળકોને પોસ્ટિક આહાર આપવાનો કાયમી પ્રોજેક્ટ છેલ્લા બે વર્ષથી લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના સહયોગ દ્વારા સતત ચાલે છે તે ગ્રામ્ય વિસ્તારના કેન્દ્રની મુલાકાત લીધી ત્યાંના બાળકોના શારીરીક, માનસિક ,અને આરોગ્ય વિષયક બાબતે સંચાલિકા બેન સાથે ચર્ચા કરીને હંગર પ્રોજેક્ટમાં બાળકોના વજન અને ઉંચાઈ માપવામાં આવ્યા હતા અને તેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.બીજો પ્રોજેક્ટ મોટાભેલા માધ્યમીક શાળા અને પ્રાથમિક શાળાની વયસ્ક વિદ્યાર્થિનીઓને મહિલા આરોગ્ય જાણવણી અંતર્ગત સેનેટ્રી નેપકીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રોજેક્ટમાં પ્રેસિડેન્ટ લા.ત્રિભોવનભાઈ ફુલતરિયા, સેક્રેટરી લા.કેશુભાઈ દેત્રોજા અને ખજાનચી લા.નાનજીભાઈ મોરડીયા હાજર રહ્યા હતા.ત્યારે ગ્રામ્ય વિસ્તારની બાળાઓના આરોગ્યની ચિંતા કરવા બદલ બંને શાળાના શિક્ષકો દ્વારા લાયન્સ કલબ ઓફ મોરબી સિટીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રાજકોટના કાલાવાડમાં શ્રીમદ ભગવત કથાનું ભવ્ય આયોજન

રાજકોટના કાલાવાડ (શીતલા) ખાતે સર્વે પિતૃના કલ્યાણ અર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન તા ૨૬/૦૩ થી ૦૧/૦૪ સુધી દરરોજ બપોરે ૩ થી૬ પટેલ વાડી ખોડીયારપરા  ધરમ ચોક ધોરાજી રોડ કાલાવાડ (શીતલા) ખાતે કરાયું છે

આ કથા દરમિયાન શ્રીમદ ભાગવત કથાના વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવાશે અને કથાના વક્તા કલ્પેશગીરી ગોસ્વામી (કેપી બાપુ) સંગીતમય શૈલીમાં પોતાની મધુરવાણીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે અને તા ૩૧/૦૩ ને ગુરુવારે રાત્રે ૯ કલાકે સંતવાણીનું આયોજન કરેલ છે આ કથામાં જે કોઈ રકમ વધશે તે મુક્તેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે વાપરવામાં આવશે તેવું કથાકાર કેપી બાપુએ જણાવ્યુ છે અને વધુ માહિતી માટે મો ૮૫૧૧૦ ૦૧૮૫૧ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News