મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેર એસટી વર્કશોપ ખાતે ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ-મહામંત્રીનો સન્માન સમારોહ યોજાયો


SHARE













વાંકાનેર એસટી વર્કશોપ ખાતે ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ-મહામંત્રીનો સન્માન સમારોહ યોજાયો

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર એસટી વર્કશોપ ખાતે ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના નવનિયુક્ત પ્રમુખ જયુભા ડી. જાડેજાનો સત્કાર સમારોહ રાખવામા આવ્યો હતો થોડા સમય પહેલા ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે જયુભા જાડેજાની વરણી કરવામાં આવી છે તેની સાથોસાથ મહામંત્રી તરીકે એ. બી. મકવાણાની વરણી કરવામાં આવેલ હોય બંને આગેવાનોનો સત્કાર સમારોહ વાંકાનેરમાં આવેલ એસ.ટી.ના વર્કશોપ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં એસ.ટી.વિભાગના મહામંડળના આગેવાનો, હોદ્દેદારો તેમજ એસ.ટી વિભાગના અધિકારીઓએ અને કર્મચારીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા અને આ તકે તેઓએ આગામી સમયમાં એસટી વિભાગના કર્મચારીઓના જે કોઈ પ્રશ્નો હોય તેને ઉકેલવા માટેની ખાતરી આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે જયુભા જાડેજાએ એસટી કર્મચારી મંડળ રાજકોટ વિભાગમાં સતત 14 વર્ષ અને એસટી ક્રેડિટ સોસાયટી રાજકોટમાં સતત 19 વર્ષ બિન હરીફ પ્રમુખ તરીકે સેવા આપેલ છે ત્યારે હવે આગામી સમયમાં જ્યારે ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે તેમણે જવાબદારી સંભાળી છે જેથી કરીને એસ.ટી વિભાગના કર્મચારીઓને લગતા પ્રશ્નોને વહેલામાં વહેલી તકે ઉકેલ આવશે તેવી કર્મચારીઓને પણ આશા બંધાણી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાંકાનેર એસટી ડેપોના તમામ મંડળના હોદેદારો અને કર્મચારી સહિતનાએ જહેમત ઉઠાવી હતી






Latest News