મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેર એસટી વર્કશોપ ખાતે ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ-મહામંત્રીનો સન્માન સમારોહ યોજાયો


SHARE











વાંકાનેર એસટી વર્કશોપ ખાતે ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ-મહામંત્રીનો સન્માન સમારોહ યોજાયો

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર એસટી વર્કશોપ ખાતે ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના નવનિયુક્ત પ્રમુખ જયુભા ડી. જાડેજાનો સત્કાર સમારોહ રાખવામા આવ્યો હતો થોડા સમય પહેલા ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે જયુભા જાડેજાની વરણી કરવામાં આવી છે તેની સાથોસાથ મહામંત્રી તરીકે એ. બી. મકવાણાની વરણી કરવામાં આવેલ હોય બંને આગેવાનોનો સત્કાર સમારોહ વાંકાનેરમાં આવેલ એસ.ટી.ના વર્કશોપ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં એસ.ટી.વિભાગના મહામંડળના આગેવાનો, હોદ્દેદારો તેમજ એસ.ટી વિભાગના અધિકારીઓએ અને કર્મચારીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા અને આ તકે તેઓએ આગામી સમયમાં એસટી વિભાગના કર્મચારીઓના જે કોઈ પ્રશ્નો હોય તેને ઉકેલવા માટેની ખાતરી આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે જયુભા જાડેજાએ એસટી કર્મચારી મંડળ રાજકોટ વિભાગમાં સતત 14 વર્ષ અને એસટી ક્રેડિટ સોસાયટી રાજકોટમાં સતત 19 વર્ષ બિન હરીફ પ્રમુખ તરીકે સેવા આપેલ છે ત્યારે હવે આગામી સમયમાં જ્યારે ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે તેમણે જવાબદારી સંભાળી છે જેથી કરીને એસ.ટી વિભાગના કર્મચારીઓને લગતા પ્રશ્નોને વહેલામાં વહેલી તકે ઉકેલ આવશે તેવી કર્મચારીઓને પણ આશા બંધાણી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાંકાનેર એસટી ડેપોના તમામ મંડળના હોદેદારો અને કર્મચારી સહિતનાએ જહેમત ઉઠાવી હતી






Latest News