મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

ગુજરાત ભાજપના શિસ્ત  સમિતિના ચેરમેનના હોમ ગ્રાઉન્ડ મોરબીમાં શિસ્તના લીરે લીરા છતાં મૌન: રમેશ રબારી


SHARE













ગુજરાત ભાજપના શિસ્ત  સમિતિના ચેરમેનના હોમ ગ્રાઉન્ડ મોરબીમાં શિસ્તના લીરે લીરા છતાં મૌન: રમેશ રબારી

ગુજરાત પ્રદેશ ભાજપના શિસ્ત  સમિતિના  ચેરમેન તરીકે ભાજપના આગેવાન અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાને જવાબદારી સોપવામાં આવી છે ત્યારે તેઓના હોમ ગ્રાઉન્ડ એટ્લે કે મોરબીમાં જ શિસ્તના નામે લીરે લીરા ઊડી રહ્યા છે તો પણ મોહનભાઇ કેમ મૌન છે તેવો સવાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ કર્યો છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ કહ્યું હતું કે, થોડા સમય પહેલા મોરબી પાલિકામાં પ્રમુખ કુસુમબેન પરમારના પતિએ તેઓના વાડી વિસ્તારમાં કામ બાબતે અરજદારની સાથે ગાળાગાળી કરી હતી તેનો ઓડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો તેવી જ રીતે મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયાએ જમીનના ધંધાર્થી સાથે બેફામ ગાળાગાળી કરી હતી તેનો પણ ઓડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો તેમજ છતાં પણ ગુજરાત પ્રદેશ ભાજપના શિસ્ત  સમિતિના  ચેરમેન અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા કે જે મોરબીમાં જ રહે છે તેઓ કેમ મૌન છે તેવો સવાલ તેમણે કર્યો છે

હાલમાં જે રીતે ભાજપના આગેવાનો અને હોદેદારો દ્વારા બેફામ વાણી વિલાસ કરવામાં આવી રહયો છે અને તેના ઓડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થાય છે તો પણ શિસ્ત સમિતિ દ્વારા કોઇની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી જેથી કરીને ભાજપની આબરૂના લીરેલીરા થઈ રહ્યા છે ત્યારે આ મુદે આગામી દિવસોમાં ગુજરાત ભાજપની શિસ્ત સમિતિના ચેરમેન દ્વારા શું પગલાં લેવામાં આવશે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે અને જો ગુજરાત ભાજપની શિસ્ત સમિતિના ચેરમેન  દ્વારા પોતાના હોમ ગ્રાઉન્ડમાં કોઈ પગલાં નહીં લેવામાં આવે તો આખા ગુજરાતમાં તેની વિપરીત અસર જોવા મળશે અને આગેવાનો દ્વારા આવો બેફામ વાણી વિલાસ અરજદારો સહિતના લોકોની સાથે ચાલુ જ રાખવામા આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News