માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થી માટે અતિ જરૂરી માહિતી


SHARE

















બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થી માટે અતિ જરૂરી માહિતી

કાલથી બોર્ડની પરીક્ષા ચાલુ થવાની છે ત્યારે વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીએ કોઈ પણ પ્રકારના ખોટા ટેન્શનમાં ન આવી જાય તેમાં માટે કેટલીક જરૂરી ટિપ્સ આજે આપવી જરૂરી છે કારણ કે જે વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપવા માટે જવાના હોય છે તેના મનમાં અનેક પ્રકારના સવાલો હોય છે અને તેના જબાવ ન મળવાના લીધે પેપર ખરાબ જાય છે અને પછી પરિણામ ખરાબ આવશે તેની ચિંતામાં ન ભરવાના પગલાં ભરી લેતા હોય છે તે હકકીત છે

વાલીની શું ભૂમિકા

જે વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપવા માટે જવાના હોય છે તેના ઉપર વધુમાં વધુ વાંચવા માટે દબાણ કરવાના બદલે તેની સાથે તમારા પોતાના અનુભવો શેર કરો તે જરૂરી છે અને તેના મગજમાંથી પરીક્ષાનો બિન જરૂરી ડર દૂર થાય તેવું વાતાવરણ તમારા ઘરમાં ઊભું કરો તો સો ટકા પરિણામ સારું જ આવશે

કેવી રીતે ન વાંચવું

મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષા નજીક આવે એટ્લે એકી સાથે બધા જ વિષયોને આડેધડ વાંચે છે આવી રીતે વાંચવાથી કોઈ ફાયદો થતો નથી અને તેના લીધે અગાઉ વાંચેલું પણ ભુલાઈ જાય છે જેથી કરીને એક એક વિષયને અલગ અલગ શીડ્યુલ કરીને વાંચવા તે જરૂરી છે

પરીક્ષા માટેની ટિપ્સ

પરીક્ષામાં સારી રીતે સફળ થવા માટે મહેનતની સાથોસાથ પ્લાનિગની પણ જરૂર પડે છે અને પરીક્ષા ખાંડમાં ગયા પછી ત્રણ કલાકમાં સૌથી પહેલા પેપરમાં રોકડા માર્ક્સ મળી શકે તેમ હોય તેને પહેલા હતમાં લેવાના પછી થીયરી અને અન્ય પ્રશ્નો ઉપર ધ્યાન દેવાનું જેથી કરીને આસાનીથી પેપર પૂરું થઈ જશે

સૌથી મોટી વાત

કાલથી બોર્ડની પરીક્ષા ચાલુ થવાની છે ત્યારે જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા માટે જવાના છે તેઓએ હાર હમેશને માટે એટલું યાદ રાખવાનું છે કે આ જીંદગીની છેલ્લી પરીક્ષા નથી હજુ તો આનાથી પણ ઘણી અઘરી પરીક્ષાઓ જીવનમાં આપવાની છે જેથી કરીને કોઈ પણ પ્રકારનું ખોટુ ટેન્શન રાખ્યા વગર બિન્દાસ બનીને ત્રણ વખત મનમાં ઓલ ઈઝ વેલ બોલીને દરેક વિદ્યાર્થીઓબોર્ડની પરીક્ષા આપવા જવાનું જેથી તમારી કલ્પના બહારનું પરિણામ આવશે તે નિશ્ચિત છે




Latest News