મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થી માટે અતિ જરૂરી માહિતી


SHARE







બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થી માટે અતિ જરૂરી માહિતી

કાલથી બોર્ડની પરીક્ષા ચાલુ થવાની છે ત્યારે વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીએ કોઈ પણ પ્રકારના ખોટા ટેન્શનમાં ન આવી જાય તેમાં માટે કેટલીક જરૂરી ટિપ્સ આજે આપવી જરૂરી છે કારણ કે જે વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપવા માટે જવાના હોય છે તેના મનમાં અનેક પ્રકારના સવાલો હોય છે અને તેના જબાવ ન મળવાના લીધે પેપર ખરાબ જાય છે અને પછી પરિણામ ખરાબ આવશે તેની ચિંતામાં ન ભરવાના પગલાં ભરી લેતા હોય છે તે હકકીત છે

વાલીની શું ભૂમિકા

જે વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપવા માટે જવાના હોય છે તેના ઉપર વધુમાં વધુ વાંચવા માટે દબાણ કરવાના બદલે તેની સાથે તમારા પોતાના અનુભવો શેર કરો તે જરૂરી છે અને તેના મગજમાંથી પરીક્ષાનો બિન જરૂરી ડર દૂર થાય તેવું વાતાવરણ તમારા ઘરમાં ઊભું કરો તો સો ટકા પરિણામ સારું જ આવશે

કેવી રીતે ન વાંચવું

મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષા નજીક આવે એટ્લે એકી સાથે બધા જ વિષયોને આડેધડ વાંચે છે આવી રીતે વાંચવાથી કોઈ ફાયદો થતો નથી અને તેના લીધે અગાઉ વાંચેલું પણ ભુલાઈ જાય છે જેથી કરીને એક એક વિષયને અલગ અલગ શીડ્યુલ કરીને વાંચવા તે જરૂરી છે

પરીક્ષા માટેની ટિપ્સ

પરીક્ષામાં સારી રીતે સફળ થવા માટે મહેનતની સાથોસાથ પ્લાનિગની પણ જરૂર પડે છે અને પરીક્ષા ખાંડમાં ગયા પછી ત્રણ કલાકમાં સૌથી પહેલા પેપરમાં રોકડા માર્ક્સ મળી શકે તેમ હોય તેને પહેલા હતમાં લેવાના પછી થીયરી અને અન્ય પ્રશ્નો ઉપર ધ્યાન દેવાનું જેથી કરીને આસાનીથી પેપર પૂરું થઈ જશે

સૌથી મોટી વાત

કાલથી બોર્ડની પરીક્ષા ચાલુ થવાની છે ત્યારે જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા માટે જવાના છે તેઓએ હાર હમેશને માટે એટલું યાદ રાખવાનું છે કે આ જીંદગીની છેલ્લી પરીક્ષા નથી હજુ તો આનાથી પણ ઘણી અઘરી પરીક્ષાઓ જીવનમાં આપવાની છે જેથી કરીને કોઈ પણ પ્રકારનું ખોટુ ટેન્શન રાખ્યા વગર બિન્દાસ બનીને ત્રણ વખત મનમાં ઓલ ઈઝ વેલ બોલીને દરેક વિદ્યાર્થીઓબોર્ડની પરીક્ષા આપવા જવાનું જેથી તમારી કલ્પના બહારનું પરિણામ આવશે તે નિશ્ચિત છે






Latest News