મોરબીના લીલાપર ગામે રમતા રમતા પાણીના ટાંકામાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત ડાકોરમાંથી અપહરણ કરાયેલ સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી વાંકાનેરના સરતાનપર રોડે સીરામીક કારખાનામાં માતા-પિતાની હાજરીમાં રમતા રમતા મશીનના બેલ્ટમાં આવી જવાથી 2 વર્ષના બાળકનું મોત ટંકારાના લજાઈ નજીક પત્ની સાથેના કલેશથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીથી લઈને મેયરની પસંદગી સુધીમાં ભાજપ કરતાં સંઘનું પ્રભુત્વ વધ્યું  મોરબીમાં માનસીક અસ્થિર વૃદ્ધા ગુમ, શોધખોળ ચાલુ માળીયા (મી)ના હરીપર પાસે ઇકો ગાડી ટ્રક સાથે અથડાતા 4 વ્યક્તિના મોત થવાના બનાવમાં હવે ગુનો નોંધાયો મોરબીમાં જુદીજુદી જગ્યાએ જુગારની 4 રેડમાં 10 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેર ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો


SHARE











વાંકાનેર ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો

મોરબી જીલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નિયામક આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી મોરબીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના આયુષ મેડિકલ ઓફિસરોએ પોતાની  સેવાઓ આપી હતી તેમાં વૈદ્ય મિલનકુમાર સોલંકી, વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર, વૈદ્ય દિલીપ વિઠ્ઠલપરા, વૈદ્ય અલ્તાફ શેરસિયા, વૈદ્ય વીરેન ઢેઢી, ડો. જે પી ઠાકર, ડો. વિજય નાંદરિયા તેમજ નીલમ બેને આ કેમ્પમાં સેવા આપી હતી અને કેમ્પનો ૨૫૬ દર્દીઓએ લાભ લીધો હતો જેમાં ૧૬૦ દર્દીઓએ આયુર્વેદિક તેમજ ૯૬ દર્દીઓએ હોમિયોપેથી સારવાર લીધી હતી આ ઉપરાંત આયુર્વેદની દુઃખાવા માટેની વિશેષ અગ્નિકર્મ સારવારનો લાભ ૫૩ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં આવનાર દર્દીઓને યોગ માર્ગદર્શન, સ્વસ્થવૃત ચાર્ટ પ્રદર્શન, ઉકાળા વિતરણ, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સંશમની વટી અને આર્સેનિક આલ્બમ ૩૦ નું વિતરણ કરવામાં આવ્યું હતુ અને સમગ્ર કેમ્પમાં વાંકાનેર ખાતે આવેલ ઉમેદચંદભાઈ મહેતા પુસ્તકાલયના ટ્રસ્ટીઓનો ખૂબ સહકાર મળ્યો હતો






Latest News