મોરબી તાલુકા ભ્રષ્ટાચાર નાબુદી એસો.ની કરાઇ રચના
SHARE
મોરબી તાલુકા ભ્રષ્ટાચાર નાબુદી એસો.ની કરાઇ રચના
ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો વચ્ચે આની સ્થિતિ શું છે તે તમામ લોકો જાણે જ છે ત્યારે ભ્રષ્ટાચારને મૂળમાંથી ડામવા માટે મોરબી તાલુકા ભ્રષ્ટાચાર નાબુદી એસો.ની રચના કરવામાં આવી છે અને આગામી તા.૭ થી તેનો પ્રારંભ થવા જઈ રહ્યો છે
મોરબી જીલ્લામાં ભ્રષ્ટાચાર દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે મોરબી તાલુકા ભ્રષ્ટાચાર નાબુદી એસો.ની રચના કરવામાં આવી છે અને આગામી તા.૭ એપ્રિલ ગુરુવારે સવારે ૯ કલાકે તેની ઓફિસ શનાળા રોડ ઉપર આશાપુરા ટાવરમાં કાર્યરત કરવામાં આવશે આ કાર્યક્રમમાં આવવા માટે લોકોને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના માજી મેનેજર, મોરબી તાલુકા સરપંચ એસો.ના માજી પ્રમુખ અને રાજપર ગ્રામ પંચાયતના માજી સરપંચ કરમશીબાપાએ આમંત્રણ આપ્યું છે સાથે જ આ એસો. દ્વારા આગામી દિવસોમાં વડાપ્રધાનને પત્ર લખીને દેશમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને ડામવા રજૂઆત પણ કરવામાં આવશે









