મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબી શહેર તેમજ જીલ્લામાં તા.૧૦ ના ધામધુમથી રામનવમી ઉજવવા તડામાર તૈયારીઓ શરૂ


SHARE









મોરબી શહેર તેમજ જીલ્લામાં તા.૧૦ ના ધામધુમથી રામનવમી ઉજવવા તડામાર તૈયારીઓ શરૂ

મોરબીના રાધાકૃષ્ણ મંદિરે રામનવમીની ભવ્ય ઉજવણી કરવા આયોજન હાથ ધરાયેલ છે જેમા છપ્પનભોગનો પ્રસાદ, મહાઆરતી સહીતના કાર્યક્રમો યોજાનાર છે.આગામી તા.૧૦ ને રવિવારના રોજ રાધાકૃષ્ણ મંદિર પરસોતમ ચોક રવાપર રોડ મોરબી ખાતે ધામધુમથી રામનવમીની ઉજવણી કરાશે.જેમાં તા.૧૦ ના રોજ સવારે ૧૦ વાગ્યે છપ્પનભોગ પ્રસાદ યોજાશે.વધુમાં આયોજકોએ જણાવ્યું છેકે જે કોઇ છપ્પનભોગ પ્રસાદમાં પોતાનો પ્રસાદ મુકવા ઇચ્છતા હોય તેમણે નવ વાગ્યા પહેલા પ્રસાદ મંદિરે પહોંચાડવાનો રહેશે.તેમજ બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી યોજાશે.જેમા પણ લોકો પોતાની આરતી સાથે લાવીને આરતી ઉતારી શકે છે.શહેરની ધર્મપ્રેમા જનતાને લાભ લેવા યાદીમાં જણાવાયેલ છે.


શોભાયાત્રા યોજાશે


મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ , બજરંગ દળ, ગૌરક્ષાદળ, દુર્ગાવાહીની અને માતૃશક્તિ દ્વારા રામનવમી નિમિતે રામ ભગવાનની શોભાયાત્રા યોજાશે. આગામી તા.૧૦ ને રવિવારે સાંજે ૪:૩૦ વાગ્યે સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી શોભાયાત્રા શરૂ થશે અને મયુરપુલ, મહેન્દ્રસિંહજી ડ્રાઇવ રોડ, દરબારગઢ, ગ્રીનચોક, નગરદરવાજા ચોક, જુના બસ સ્ટેશન રામચોક, શનાળા રોડ, નવા બસ સ્ટેશનની સામેના રસ્તાથી બાપાસીતારામ ચોક, એવન્યુ પાર્ક રવાપર રોડથી સીતારામ ચોક, ચકીયા હનુમાનથી શાક માર્કેટ, જેઈલ રોડ થઇને વિહીપ કાર્યાલયે પુરી થશે. આ શોભાયાત્રામાં જોડાવા મોરબીવાસીઓને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

કાનગોપી રાસ યોજાશે


માળીયા(મિં.)ના દેરાળા ગામે શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.૭ ના રોજ કાનગોપી રાસનું આયોજન કરાયેલ છે.દેરાળા (નંદનવન) ગામમાં શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરાયેલ છે. કથાના યજમાન સ્વ.પ્રવીણભાઈ ખીમજીભાઈ દેત્રોજા,અનિલભાઈ પ્રવીણભાઈ દેત્રોજા,આનંદભાઈ પ્રવીણભાઈ દેત્રોજા તથા દેત્રોજા પરિવાર છે.કથા અંતર્ગત તા.૭ ને ગુરુવારના રોજ આદિત્ય ગૃપના કાનગોપી રાસનું આયોજન કાયેલ હોય તેમો લાભ લેવા આયોજકો દ્રારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.






Latest News