મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવનનું હાર્ટ એટેકથી મોત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના બેલા નજીક આવેલ રિવાઇન્ડિંગની દુકાનમાંથી અંદાજે બે લાખના મુદામાલની ચોરી વાંકાનેરના વઘાસીયા ટોલનાકે બુમ બેરીયર તોડીને બોલેરોનો ચાલક વાહન લઈને નીકળી ગયો !: સ્ટાફ ઉપર કર્યો હુમલો મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસના પટાંગણમાં સિરામિક ઉદ્યોગકારો રામધૂન બોલાવીને કર્યા સૂત્રોચ્ચાર: યુદ્ધવિરામ થતા ગેસની ભાવ ઘટાડીને સામાન ભાવે ગેસ આપવાની કરી માંગ ભાજપને જટકો, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી શહેર તેમજ જીલ્લામાં તા.૧૦ ના ધામધુમથી રામનવમી ઉજવવા તડામાર તૈયારીઓ શરૂ


SHARE











મોરબી શહેર તેમજ જીલ્લામાં તા.૧૦ ના ધામધુમથી રામનવમી ઉજવવા તડામાર તૈયારીઓ શરૂ

મોરબીના રાધાકૃષ્ણ મંદિરે રામનવમીની ભવ્ય ઉજવણી કરવા આયોજન હાથ ધરાયેલ છે જેમા છપ્પનભોગનો પ્રસાદ, મહાઆરતી સહીતના કાર્યક્રમો યોજાનાર છે.આગામી તા.૧૦ ને રવિવારના રોજ રાધાકૃષ્ણ મંદિર પરસોતમ ચોક રવાપર રોડ મોરબી ખાતે ધામધુમથી રામનવમીની ઉજવણી કરાશે.જેમાં તા.૧૦ ના રોજ સવારે ૧૦ વાગ્યે છપ્પનભોગ પ્રસાદ યોજાશે.વધુમાં આયોજકોએ જણાવ્યું છેકે જે કોઇ છપ્પનભોગ પ્રસાદમાં પોતાનો પ્રસાદ મુકવા ઇચ્છતા હોય તેમણે નવ વાગ્યા પહેલા પ્રસાદ મંદિરે પહોંચાડવાનો રહેશે.તેમજ બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી યોજાશે.જેમા પણ લોકો પોતાની આરતી સાથે લાવીને આરતી ઉતારી શકે છે.શહેરની ધર્મપ્રેમા જનતાને લાભ લેવા યાદીમાં જણાવાયેલ છે.


શોભાયાત્રા યોજાશે


મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ , બજરંગ દળ, ગૌરક્ષાદળ, દુર્ગાવાહીની અને માતૃશક્તિ દ્વારા રામનવમી નિમિતે રામ ભગવાનની શોભાયાત્રા યોજાશે. આગામી તા.૧૦ ને રવિવારે સાંજે ૪:૩૦ વાગ્યે સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી શોભાયાત્રા શરૂ થશે અને મયુરપુલ, મહેન્દ્રસિંહજી ડ્રાઇવ રોડ, દરબારગઢ, ગ્રીનચોક, નગરદરવાજા ચોક, જુના બસ સ્ટેશન રામચોક, શનાળા રોડ, નવા બસ સ્ટેશનની સામેના રસ્તાથી બાપાસીતારામ ચોક, એવન્યુ પાર્ક રવાપર રોડથી સીતારામ ચોક, ચકીયા હનુમાનથી શાક માર્કેટ, જેઈલ રોડ થઇને વિહીપ કાર્યાલયે પુરી થશે. આ શોભાયાત્રામાં જોડાવા મોરબીવાસીઓને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

કાનગોપી રાસ યોજાશે


માળીયા(મિં.)ના દેરાળા ગામે શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.૭ ના રોજ કાનગોપી રાસનું આયોજન કરાયેલ છે.દેરાળા (નંદનવન) ગામમાં શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરાયેલ છે. કથાના યજમાન સ્વ.પ્રવીણભાઈ ખીમજીભાઈ દેત્રોજા,અનિલભાઈ પ્રવીણભાઈ દેત્રોજા,આનંદભાઈ પ્રવીણભાઈ દેત્રોજા તથા દેત્રોજા પરિવાર છે.કથા અંતર્ગત તા.૭ ને ગુરુવારના રોજ આદિત્ય ગૃપના કાનગોપી રાસનું આયોજન કાયેલ હોય તેમો લાભ લેવા આયોજકો દ્રારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.






Latest News