ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્રારા ઘર વપરાશની વિવિધ વસ્તુઓનું થશે રાહત દરે વિતરણ


SHARE













મોરબીમાં નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્રારા ઘર વપરાશની વિવિધ વસ્તુઓનું થશે રાહત દરે વિતરણ

મોરબીમાં આગામી તા.૧૦ ને રવિવારના રોજ નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્રારા ઘર વપરાશની વિવિધ વસ્તુઓનું રાહત દરે વિતરણ કરાશે.જેમા ઓર્ગેનિક તરબૂચ રૂા.૨૦ ના ૧ કિલો લેખે તેમજ ફૂલછોડનું રાહત દરે વિતરણ થશે.

ટંકારા તાલુકાના હરિપર ગામેથી ચંદુભાઈ ભાગિયા કે જેઓ પ્રગતિશીલ ખેડૂત છે તેઓ પોતાની વાડીમાં ઓર્ગનીક તરબૂચ વાવે છે તે પોતાના ઓર્ગનીક તરબૂચ લઈને ત્યાં રાહતદરે વેચાણ કરશે.તે ઉપરાંત અળસિયાનું ખાતર અને કોકોપીટનું ખાતર, પ્યોર મધ, હાથે ખાંડેલ દેસી ઓસડિયા, માટીના કુંડા, તાવડી, દેસી હાથ ઘડાવ માટીના પાટિયા, રસોડાને ઉપયોગી લાકડાની વિવિધ ચીજવસ્તુઓ, વિવિધ જાતના કઠોળ, વિવિધ જાતના શાકભાજીના બિયારણો, પાપડ તેમજ વિવિધ જાતના ફૂલછોડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે.જે દરમિયાન સોસીયલ ડિસટન્સનું પાલન કરીને ફરજીયાત માસ્ક પહેરવા જણાવાયેલ છે.મોરબીના ઉમિયા સર્કલ નજીક મહાદેવ મંદિર પાસે તા.૧૦-૪ ના રોજ સવારે ૮:૩૦ થી બોપોરે ૧ સુધી વિતરણ થશે.તે અંગે વધુ વિગત માટે લવજીભાઈ પ્રજાપતિ (મો.૯૯૨૫૩ ૬૯૪૬૫) અથવા વી.ડી.બાલા પ્રમુખ: નવરંગ નેચર ક્લબ-રાજકોટ (મો.૯૪૨૭૫ ૬૩૮૯૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે

બહેનોને ફળ અને શાકભાજી ઉછેરની તાલીમ આપશે

સરકારના બાગાયત ખાતા દ્વારા  બહેનો માટે બાગાયત પાકોના મુલ્યવર્ધન અંગેની વિવિધ ફળોનાં જામ, જેલી, અથાણા તેમજ શરબત અને ઘર આંગણાની ખાલી જગ્યામાં ફળ શાકભાજીનાં ઉછેરની તાલીમ ઓછામાં ઓછા ૨૦ બહેનો અને વધુમાં વધુ ૫૦ બહેનોમાં બે દિવસીય અને પાંચ દિવસીય તાલીમ યોજાશે. આ તાલીમમાં જોડાનાર બહેનોને પ્રતિ દિન ૨૫૦ રૂપિયા સ્ટાઇપેન્ડ તરીકે સરકારના બાગાયત ખાતા દ્વારા આપવામાં આવશે. તાલીમ મેળવવા માટે આઇ ખેડુત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in પર તા.૩૦/૪/૨૦૨૨ સુધીમાં અરજી કરી અરજીની પ્રિંટ સાથે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુકની નકલ નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ(ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબીના સરનામે મોકલી આપવા નાયબ બાગાયત નિયામક મોરબીની યાદીમાં જણાવાયું છે.






Latest News