મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની 76 બેઠકો માટે ભરાયેલા 321 ફોર્મમાંથી 49 રદ, 272 ઉમેદવારો મેદાનમાં ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાનજી મંદિરના રસ્તે ભારે વાહનોની ૧૦ દિવસ અવર-જવર બંધ


SHARE













મોરબીના ખોખરા હનુમાનજી મંદિરના રસ્તે ભારે વાહનોની ૧૦ દિવસ અવર-જવર બંધ

મોરબી તાલુકા ખોખરા હનુમાનજી મંદિર ખાતે તા.૮/૪ થી તા.૧૬/૪ સુધી રામ કથાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આશરે દરરોજ ૧૫૦૦૦ જેટલા લોકો કથા સાંભળવા માટે આવનાર છે જેથી રોડ રસ્તે ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન ઉદભવે તેમ છે માટે ભરતનગરથી ખોખરા હનુમાનજી મંદિર થઇને બેલા રોડ પરથી પસાર થતા ભારે વાહનો માટે રસ્તો બંધ કરી દેવામાં આવેલ છે અને તેની અવેજીમાં ટીંબડીના પાટીયા પાસે આવેલ આર.સી.સી. રોડજે પીપળી ગામ પાસે બેલા રોડને મળે છે તે રોડ પરથી ભારે વાહનો પસાર થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે અનુસંધાને જિલ્લા પોલીસ વડા દ્વારા દરખાસ્ત રજૂ કરવામાં આવેલ જે અનુસંધાને જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ જે.બી.પટેલ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા અનુસાર મોરબી તાલુકાના ભરતનગર થી ખોખરા હનુમાનજી મંદિર થઇને બેલા રોડ પરથી ભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ રસ્તાના વૈકલ્પિક રસ્તા તરીકે મોરબી તાલુકાના ટીંબડીના પાટીયા પાસે આવેલ આર.સી.સી.રોડ જે પીપળી ગામ પાસે બેલા રોડને મળે છે તે રોડનો ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામાનો અમલ તા.૮/૪ થી તા.૧૬/૪ સુધી કરવાનો રહેશે.






Latest News