મોરબીના ખોખરા હનુમાનજી મંદિરના રસ્તે ભારે વાહનોની ૧૦ દિવસ અવર-જવર બંધ
SHARE
મોરબીના ખોખરા હનુમાનજી મંદિરના રસ્તે ભારે વાહનોની ૧૦ દિવસ અવર-જવર બંધ
મોરબી તાલુકા ખોખરા હનુમાનજી મંદિર ખાતે તા.૮/૪ થી તા.૧૬/૪ સુધી રામ કથાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આશરે દરરોજ ૧૫૦૦૦ જેટલા લોકો કથા સાંભળવા માટે આવનાર છે જેથી રોડ રસ્તે ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન ઉદભવે તેમ છે માટે ભરતનગરથી ખોખરા હનુમાનજી મંદિર થઇને બેલા રોડ પરથી પસાર થતા ભારે વાહનો માટે રસ્તો બંધ કરી દેવામાં આવેલ છે અને તેની અવેજીમાં ટીંબડીના પાટીયા પાસે આવેલ આર.સી.સી. રોડ, જે પીપળી ગામ પાસે બેલા રોડને મળે છે તે રોડ પરથી ભારે વાહનો પસાર થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે અનુસંધાને જિલ્લા પોલીસ વડા દ્વારા દરખાસ્ત રજૂ કરવામાં આવેલ જે અનુસંધાને જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ જે.બી.પટેલ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા અનુસાર મોરબી તાલુકાના ભરતનગર થી ખોખરા હનુમાનજી મંદિર થઇને બેલા રોડ પરથી ભારે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ રસ્તાના વૈકલ્પિક રસ્તા તરીકે મોરબી તાલુકાના ટીંબડીના પાટીયા પાસે આવેલ આર.સી.સી.રોડ જે પીપળી ગામ પાસે બેલા રોડને મળે છે તે રોડનો ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામાનો અમલ તા.૮/૪ થી તા.૧૬/૪ સુધી કરવાનો રહેશે.