મોરબીના ખોખરા હનુમાનજી મંદિરના રસ્તે ભારે વાહનોની ૧૦ દિવસ અવર-જવર બંધ
ટંકારાનાં ઓટાળા ગામે ગૌચર અને ખરાબાની જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવાની માંગ
SHARE
ટંકારાનાં ઓટાળા ગામે ગૌચર અને ખરાબાની જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવાની માંગ
ટંકારા તાલુકાનાં ઓટાળા ગામના માલધારીઓએ ગૌચર બચાવ સમિતિના નેજા હેઠળ ગૌચરની ખરાબાની જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવા માટે મામલતદારને આવેદન પત્રપઠવ્યું છે અને જો પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
હાલમાં જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, ઓટાળા ગામે હે.આર.ચો.મી. ૧૦૮/૭૨/૬૮ ની ગૌચરની જમીન આવેલ છે ત્યાં ગેરકાયદે દબાણ કરવામાં આવેલ છે જેથી પશુઓને લઈને નીકળી શકાતું નથી માટે માલધારીઓ અને પશુને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને ગૌચર અને ખરાબાની જમીન ઉપરથી દબાનોને દૂર કરવા માટે પશુપાલકો અને ખેડૂત વચ્ચેની કાયમી સમસ્યાનો અંત લાવવા માટેની માંગ કરી છે જો આવેદનપત્ર આપવા છતા કોઈ પગલા લેવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે