મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

ટંકારાનાં ઓટાળા ગામે ગૌચર અને ખરાબાની જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવાની માંગ


SHARE













ટંકારાનાં ઓટાળા ગામે ગૌચર અને ખરાબાની જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવાની માંગ

ટંકારા તાલુકાનાં ઓટાળા ગામના માલધારીઓએ ગૌચર બચાવ સમિતિના નેજા હેઠળ ગૌચરની ખરાબાની જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવા માટે મામલતદારને આવેદન પત્રપઠવ્યું છે અને જો પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

હાલમાં જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, ઓટાળા ગામે હે.આર.ચો.મી. ૧૦૮/૭૨/૬૮ ની ગૌચરની જમીન આવેલ છે ત્યાં ગેરકાયદે દબાણ કરવામાં આવેલ છે જેથી  પશુઓને લઈને નીકળી શકાતું નથી માટે માલધારીઓ અને પશુને મુશ્કેલીનો સામનો કરવો પડે  છે જેથી કરીને ગૌચર અને ખરાબાની જમીન ઉપરથી દબાનોને દૂર કરવા માટે પશુપાલકો અને ખેડૂત વચ્ચેની કાયમી સમસ્યાનો અંત લાવવા માટેની માંગ કરી છે જો આવેદનપત્ર આપવા છતા કોઈ પગલા લેવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News