મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે
Breaking news
Morbi Today

ટંકારાનાં ઓટાળા ગામે ગૌચર અને ખરાબાની જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવાની માંગ


SHARE













ટંકારાનાં ઓટાળા ગામે ગૌચર અને ખરાબાની જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવાની માંગ

ટંકારા તાલુકાનાં ઓટાળા ગામના માલધારીઓએ ગૌચર બચાવ સમિતિના નેજા હેઠળ ગૌચરની ખરાબાની જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવા માટે મામલતદારને આવેદન પત્રપઠવ્યું છે અને જો પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

હાલમાં જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, ઓટાળા ગામે હે.આર.ચો.મી. ૧૦૮/૭૨/૬૮ ની ગૌચરની જમીન આવેલ છે ત્યાં ગેરકાયદે દબાણ કરવામાં આવેલ છે જેથી  પશુઓને લઈને નીકળી શકાતું નથી માટે માલધારીઓ અને પશુને મુશ્કેલીનો સામનો કરવો પડે  છે જેથી કરીને ગૌચર અને ખરાબાની જમીન ઉપરથી દબાનોને દૂર કરવા માટે પશુપાલકો અને ખેડૂત વચ્ચેની કાયમી સમસ્યાનો અંત લાવવા માટેની માંગ કરી છે જો આવેદનપત્ર આપવા છતા કોઈ પગલા લેવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News