ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન મંદિરે ૧૦૮ ફૂટની હનુમાનજીની મૂર્તિનું અનાવરણ: રામકથાની ભવ્ય પોથીયાત્રા યોજાઇ


SHARE













મોરબીના ખોખરા હનુમાન મંદિરે ૧૦૮ ફૂટની હનુમાનજીની મૂર્તિનું અનાવરણ: રામકથાની ભવ્ય પોથીયાત્રા યોજાઇ

મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર ખાતે આજથી રામકથાનો પ્રારંભ થયો છે ત્યારે મોરબીના બેલા ગામેથી ખોખરા હનુમાન મંદિર સુધીની ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પોથીયાત્રામાં ત્રણ હાથી અને ૫૧ ઘોડાને રાખવામા આવ્યા હતા તેમજ સંતો મહંતો, રાજકીય આગેવાનો, ગામના લોકો, સમાજના શ્રેષ્ઠિઓ સહિતના અનેક લોકો જોડાયા હતા અને બેલા ગામથી લઈને ખોખરા હનુમાન સુધી વાજતે ગાજતે પોથીયાત્રા પહોંચી હતી અને ત્યારબાદ સંતો-મહંતો સહિતના લોકોના હસ્તે ભારતની બીજી અને ગુજરાતની પ્રથમ ૧૦૮ ફૂટની હનુમાનજીની પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવી હતી અને ત્યારબાદ રામકથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ રામકથાની અંદર ૧૧મી તારીખે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજર રહેવાના છે તેમજ તા ૧૬ ના રોજ હનુમાન જયંતીના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે આ કથાની સાથે જોડવાના છે તેની સાથે સાથે તે દિવસે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ  સી.આર.પાટિલ, મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા, મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિતના અનેક રાજકીય આગેવાનો કથા દરમ્યાન કથાકાર અને સંતોના આશીર્વાદ લેવા માટે તેમજ કથા શ્રવણ કરવા માટે આવશે તેવું કથાના મુખ્ય યજમાન અજયભાઇ લોરીયાએ જણાવ્યુ છે






Latest News