રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન મંદિરે ૧૦૮ ફૂટની હનુમાનજીની મૂર્તિનું અનાવરણ: રામકથાની ભવ્ય પોથીયાત્રા યોજાઇ


SHARE









મોરબીના ખોખરા હનુમાન મંદિરે ૧૦૮ ફૂટની હનુમાનજીની મૂર્તિનું અનાવરણ: રામકથાની ભવ્ય પોથીયાત્રા યોજાઇ

મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર ખાતે આજથી રામકથાનો પ્રારંભ થયો છે ત્યારે મોરબીના બેલા ગામેથી ખોખરા હનુમાન મંદિર સુધીની ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પોથીયાત્રામાં ત્રણ હાથી અને ૫૧ ઘોડાને રાખવામા આવ્યા હતા તેમજ સંતો મહંતો, રાજકીય આગેવાનો, ગામના લોકો, સમાજના શ્રેષ્ઠિઓ સહિતના અનેક લોકો જોડાયા હતા અને બેલા ગામથી લઈને ખોખરા હનુમાન સુધી વાજતે ગાજતે પોથીયાત્રા પહોંચી હતી અને ત્યારબાદ સંતો-મહંતો સહિતના લોકોના હસ્તે ભારતની બીજી અને ગુજરાતની પ્રથમ ૧૦૮ ફૂટની હનુમાનજીની પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવી હતી અને ત્યારબાદ રામકથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ રામકથાની અંદર ૧૧મી તારીખે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજર રહેવાના છે તેમજ તા ૧૬ ના રોજ હનુમાન જયંતીના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે આ કથાની સાથે જોડવાના છે તેની સાથે સાથે તે દિવસે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ  સી.આર.પાટિલ, મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા, મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિતના અનેક રાજકીય આગેવાનો કથા દરમ્યાન કથાકાર અને સંતોના આશીર્વાદ લેવા માટે તેમજ કથા શ્રવણ કરવા માટે આવશે તેવું કથાના મુખ્ય યજમાન અજયભાઇ લોરીયાએ જણાવ્યુ છે






Latest News