મોરબીમાં ત્રણ મહિના પહેલા અકસ્માત સર્જી યુવાનનું મોત નિપજાવનાર શખ્સ પકડાયો
મોરબીના ખોખરા હનુમાન મંદિરે ૧૦૮ ફૂટની હનુમાનજીની મૂર્તિનું અનાવરણ: રામકથાની ભવ્ય પોથીયાત્રા યોજાઇ
SHARE
મોરબીના ખોખરા હનુમાન મંદિરે ૧૦૮ ફૂટની હનુમાનજીની મૂર્તિનું અનાવરણ: રામકથાની ભવ્ય પોથીયાત્રા યોજાઇ
મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર ખાતે આજથી રામકથાનો પ્રારંભ થયો છે ત્યારે મોરબીના બેલા ગામેથી ખોખરા હનુમાન મંદિર સુધીની ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પોથીયાત્રામાં ત્રણ હાથી અને ૫૧ ઘોડાને રાખવામા આવ્યા હતા તેમજ સંતો મહંતો, રાજકીય આગેવાનો, ગામના લોકો, સમાજના શ્રેષ્ઠિઓ સહિતના અનેક લોકો જોડાયા હતા અને બેલા ગામથી લઈને ખોખરા હનુમાન સુધી વાજતે ગાજતે પોથીયાત્રા પહોંચી હતી અને ત્યારબાદ સંતો-મહંતો સહિતના લોકોના હસ્તે ભારતની બીજી અને ગુજરાતની પ્રથમ ૧૦૮ ફૂટની હનુમાનજીની પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવી હતી અને ત્યારબાદ રામકથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ રામકથાની અંદર ૧૧મી તારીખે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજર રહેવાના છે તેમજ તા ૧૬ ના રોજ હનુમાન જયંતીના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે આ કથાની સાથે જોડવાના છે તેની સાથે સાથે તે દિવસે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટિલ, મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા, મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિતના અનેક રાજકીય આગેવાનો કથા દરમ્યાન કથાકાર અને સંતોના આશીર્વાદ લેવા માટે તેમજ કથા શ્રવણ કરવા માટે આવશે તેવું કથાના મુખ્ય યજમાન અજયભાઇ લોરીયાએ જણાવ્યુ છે









