મોરબીના ખોખરા હનુમાન મંદિરે ૧૦૮ ફૂટની હનુમાનજીની મૂર્તિનું અનાવરણ: રામકથાની ભવ્ય પોથીયાત્રા યોજાઇ
ટંકારાનાં વિરવાવ ગામે સરકારી ખરાબામાં નાખવામાં આવતી પવન ચક્કીનું કામ રોકવા મુખ્યમંત્રીને કરી રજૂઆત
SHARE
ટંકારાનાં વિરવાવ ગામે સરકારી ખરાબામાં નાખવામાં આવતી પવન ચક્કીનું કામ રોકવા મુખ્યમંત્રીને કરી રજૂઆત
ટંકારા તાલુકાનાં વિરવાવ ગામ પાસે આવેલ સરકારી ખરાબાની જમીનમાં, રસ્તાની બાજુમાં અને તળાવમાં પવન ચક્કી નાખવામાં આવી રહી છે અને સરકારી જમીન પચાવી પાડવામાં આવી રહી છે જેથી તે કામ રોકવા માટેની રજૂઆત કરવામાં આવી છે અને જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગ્રામ પંચાયત સદસ્ય પદ ઉપરથી રાજીનામાં મૂકવાની ચીમકી ઉચ્ચારી છે
ટંકારા તાલુકાનાં વિરવાવ ગામના હઠુભા રણજીતસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, વિરવાવ ગ્રામ પંચાયત સમરસ પંચાયત બનેલ છે અને ત્યારે બહારની કંપની આવીને જાહેર રસ્તાઓ, દલિતોના સ્મશાન, તળવા વિગેરે જગ્યા ઉપર અને ગૌચર વિસ્તારમાં પવન ચક્કી નાખવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે આ અંગેની સ્થાનિક અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે તો પણ કામ બંધ કરવામાં આવેલ નથી જેથી કરીને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે જો આ અરજીની તટસ્થ તપાસ કરીને કાર્યવાહી નહીં કારમાં આવે તો ગ્રામ પંચયતના સદસ્ય પદ પરથી ન છૂટકે રાજીનામાં આપશે