મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

ટંકરાના રહેવાસી વૃદ્ધનું દુકાનની ખુરશીએ બેઠાબેઠા એકાએક મોત


SHARE









ટંકરાના રહેવાસી વૃદ્ધનું દુકાનની ખુરશીએ બેઠાબેઠા એકાએક મોત

મોરબીના ટંકારામાં રહેતા સવજીભાઇ રામજીભાઇ કકાસણીયા નામના ૬૫ વર્ષીય વૃદ્ધ સરીતા ટ્રેડિંગ નામની દુકાને ખુરસીમાં બેઠા હતા ત્યાં અચાનક ખુરશીમાં બેઠાબેઠા જ તેઓ બેભાન થઇને નિચે ઢળી પડયા હતા.જેથી તેમને બેભાન હાલતમાં જ સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા જયાં તેઓને જોઇ તપાસીને તબીબ દ્રારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા જેથી કરીને હાલ પ્રાથમિક તપાસ કરીને એ ડીવીઝન પોલીસે બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરી હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના ટંકારા તાલુકાના લજાઇ ગામના વતની ભાનુબેન સામતભાઈ મકવાણા નામના ૫૦ વર્ષીય આધેડ મહિલા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે લજાઈ ચોકડી પાસે તેઓના બાઈકને કોઈ અજાણી કારના ચાલકે હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ઈજાઓ થતાં ભાનુબેન મકવાણાને અહિંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.મોરબીના રવાપર રોડ ઉપર બાઈકમાં બેસીને જતા સમયે બાઇક સ્લીપ થઇ જતા પડી જવાથી નવરાજભાઈ બીરશ્યામભાઈ સુનાર નામના ૪૨ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયો હતો.

યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર રોડ ઉપર આવેલ મોટો સ્લીમ સિરામિક નામના કારખાના પાસે રહીને મજૂરીકામ કરતા બીરેન્દ્રકુમાર રામતીહારી ચૌધરી નામનો ૪૯ વર્ષીય આધેડ પોતાના વાહનમાં જતો હતો ત્યારે ત્યાં સરતાનપર ચોકડી નજીક વાહન અકસ્માતમાં ઇજા થતા તેને સદભાવના હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.જામનગર ખાતે રહેતો જોય સુનિલભાઈ ચીખલીયા નામનો ૧૫ વર્ષીય બાળક સ્કૂલેથી પરત સાયકલ લઈને ઘરે જતો હતો ત્યાં રસ્તામાં તે સાયકલમાંથી નિચે પડી જતા ઇજાગ્રસ્ત જોય ચીખલીયાને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે ગૌરીદળના રહેવાસી લાખાભાઈ શીવાભાઈ ટોળીયા નામનો ૪૮ વર્ષીય યુવાન બિલેશ્વર નજીકથી બાઇકમાં જતો હતો તે સમયે તે બાઇકમાંથી પડી જતા ઇજાગ્રસ્ત લાખાભાઇ ટોળીયાને પણ સારવાર માટે અહીં મોરબીની આયુષ હોસ્પીટલે ખસેડાયો હતો.






Latest News