મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના નિવૃત શિક્ષક ચંદુભાઈ દલસાણીયા દ્વારા કુષ્ઠયજ્ઞ સહયોગ માટે કરોડોનું દાન એકત્ર  કર્યું


SHARE













મોરબીના નિવૃત શિક્ષક ચંદુભાઈ દલસાણીયા દ્વારા કુષ્ઠયજ્ઞ સહયોગ માટે કરોડોનું દાન એકત્ર  કર્યું 

હિંમતનગર રાજેન્દ્ર ચોકડી પાસે આવેલ કુષ્ઠયજ્ઞ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે,જ્યાં 1200 જેટલા રક્તપિત્ત ગ્રસ્ત,દિવ્યાંગમેન્ટલી ચેલેન્જ,પોતાના કુટુંબીજનોએ તરછોડી દીધેલ દરિદ્રનારાયણોની સેવા સુસુશ્રા કરવામાં આવે છેલાલન,પાલન અને પોષણ થઈ રહ્યું છે,સુરેશભાઈ સોની અને ઈન્દીરાબેન સોની સાંપ્રત સમયના સંત દેવીદાસ અને અમરમાં બનીને સેવાની સુગંધ પ્રસરાવી રહ્યા છે સહયોગ કુષ્ઠયજ્ઞના આર્થિક સહયોગ માટે મોરબીના શિક્ષક ચંદુભાઈ દલસાણિયાએ આજથી આશરે અઢાર વિષ વર્ષ પહેલાં બીડું ઝડપ્યું,લોકો પાસે જાય કુષ્ઠયજ્ઞ સહયોગ ટ્રષ્ટની વાત કરે અને ફૂલ નહિં તો ફૂલની પાંખડી રૂપે ધનરાશી મેળવી મનીઓર્ડર બેંક મારફત ધનરાશીની પ્રસાદી મોકલી આપે,ચંદુભાઈ દલસાણીયા નિવૃત બાદ પ્રવૃત રહી 65 વર્ષે પણ લોકો વચ્ચે સારા માઠા પ્રસંગે પહોંચી જાય અને કુષ્ઠયજ્ઞ સહયોગ માટે સહયોગ માંગે,મોરબીના ઉદ્યોગકારો પહોંચી જાય અને દરિદ્રનારયણો માટે માંગતા ક્યારેય શરમ કે ક્ષોભ નથી અનુભવ્યો અને અત્યાર સુધી બે કરોડ અને અગિયાર લાખ જેટલી ધનરાશી એકત્ર કરી અને કુષ્ઠયજ્ઞ સહયોગ ટ્રષ્ટમાં મોકલી આપેલ છેચંદુભાઈની આ સેવાયજ્ઞ અવિરત ચાલુ જ છે,તાજેતરમાં જ ભાનુમતીબેન ડાયાલાલ સોલંકી પાસેથી રૂપિયા પાંચ લાખ એમના સ્વ.બહેન મંજુલાબેન સોલંકી અને સાત અન્ય સ્વર્ગવાસીના સ્મરણાર્થે રૂપિયા એમ કુલ સાત લાખનું દાન ચંદુભાઈ દલસાણીયાએ મેળવીને કુષ્ઠયજ્ઞ ટ્રષ્ટમાં મોકલ્યું છે રક્તપિત્ત ક્ષેત્રે સમગ્ર દેશમાં સુંદર સેવાકીય પ્રવૃત્તિ બદલ આગામી દિવસોમાં રાષ્ટ્રપતિ દ્વારા સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રષ્ટને એવોર્ડ અર્પણ કરવામાં આવશે.






Latest News