માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો મોરબીના કોયલી ગામે યોજાયેલ આહીર સમાજના સમૂહ લગ્નમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હાજર રહ્યા: 23 નવદંપત્તિને પ્રભુતામાં ડગ માંડ્યા મોરબી નાગરિક બેંકના ચેરમેન પદે દીપકભાઈ પોપટ વાઇસ ચેરમેન પદે મનીષભાઈ ઓગણજા મોરબીના જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૧૪૫ મી પૂણ્યતિથી નિમિતે કાર્યક્રમ યોજાયો મોરબીમાં બેટરીના પાણીની આડમાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં મંગાવેલ દારૂની 1248 બોટલ સાથે એકની ધરપકડ: દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના શખ્સની શોધખોળ હળવદના ટીકર ગામે ઘરમાંથી 3.94 લાખના સોનાના દાગીના ચોરીના ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા ગામ હનુમાન ખાતે આયોજિત કથામાં મુખ્યમંત્રી પહોંચ્યા


SHARE













મોરબીના ખોખરા ગામ હનુમાન ખાતે આયોજિત કથામાં મુખ્યમંત્રી પહોંચ્યા

મોરબી નજીકના બેલા ગામે પૂજ્ય કનકેશ્વરી દેવીના આશ્રમ ખાતે ૧૦૮ ફુટની હનુમાન મૂર્તિનું અનાવરણ સીએમના દ્રારા કરવામાં આવ્યું છે અને ત્યાં રામકથાનું આયોજન તા.૮-૪ થી ૧૬- સુધી કરવામાં આવેલ હોય આજે તારીખ ૧૧ ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કથામાં ઉપસ્થિત રહ્યા હતા. તે રીતે જ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કૈલાશ વિજયવર્ગીય સહિતના આગેવાનોની હાજરી નોંધનીય રહી હતી.

આજે તા.૧૧ ના રોજ કથા ખાતે ગૌ મહિમા ધર્મસભાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં દુનિયાની સૌથી મોટી ગૌશાળા સ્થાપીત કરનાર ગૌઋષી દતશરણાનંદજી મહારાજ પણ કથામાં પધાર્યા હોય ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કથાનો લાભ લઇ રહ્યા છે.આયોજકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. મોરબીના ખોખરા હનુમાન હરીહર ધામ ખાતે પુ.કનકેશ્વરી દેવીની કથામાં લોકો આવી શકે અને તે માટે શ્રોતાઓ માટે મોરબીના સર્વોપરીશૈક્ષણીક સંકુલ દ્વારા બસ સુવિધા કરવામાં આવી છે.જેમાં તેઓની સ્કૂલ બસ નંબર ૮ કે જેના બસ નંબર જીજે ૩ બીટી ૩૦૧૯ છે તે દરરોજ સવારે ૮:૧૫ વાગ્યેથી સતત ચાલતી રહેશે.ભરતનગર ગામથી કથા સ્થળ સુધી અને કથાસ્થળથી ભરતનગર ગામ સુધી કથાના તમામ દિવસો સુધી આ બસો ચાલતી રહેશે તેમ તેઓ દ્વારા જણાવવામાં આવેલું છે.






Latest News