મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેરના સરતાનપર રોડ પર પ્રોપેન ગેસ લીકેજના સિનેરિયો આધારિત મોક ડ્રીલ યોજાઈ મોરબીના રફાળેશ્વર ગામ પાસે સીરામીક કારખાનામાં બનાવેલ ગોડાઉનમાં રાખવામાં આવેલ નાફેડની મગફળીના જથ્થામાં વિકરાળ આગ, ફાયરની 7 ટીમો સ્થળ ઉપર મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાંથી નિલેશ એરવાડીયાને આંદોલન સમિતિએ તાત્કાલિક છૂટા કર્યા મોરબીમાં બાઈક પાર્કમાં બબાલ, યુવક ઉપર છરી-ધોકાથી હુમલો મોરબીમાં યુવતી કહ્યા વગર ગુમ : પોલીસ દ્વારા શોધખોળ શરૂ મોરબીના મહેન્દ્રનગરની યુવતી ગુમ, ટીંબડી નજીકના ફાયરીંગમાં આરોપીની ધરપકડ પોલીસની ધાક કયાં ? : માળીયા મિયાણામાં લગ્ન પ્રસંગે થયેલ બોલાચાલીનું વેર લેવા બાઈક સાથે કાર અથડાવી પાઇપ વડે હુમલો-ભાગવા જતા બંદૂકથી ફાયરિંગ ! માળિયા મિયાણા માટે મોટી ખુશખબર: ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ને માળિયા સ્ટેશન પર સ્ટોપેજની સત્તાવાર મંજૂરી
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા ગામ હનુમાન ખાતે આયોજિત કથામાં મુખ્યમંત્રી પહોંચ્યા


SHARE









મોરબીના ખોખરા ગામ હનુમાન ખાતે આયોજિત કથામાં મુખ્યમંત્રી પહોંચ્યા

મોરબી નજીકના બેલા ગામે પૂજ્ય કનકેશ્વરી દેવીના આશ્રમ ખાતે ૧૦૮ ફુટની હનુમાન મૂર્તિનું અનાવરણ સીએમના દ્રારા કરવામાં આવ્યું છે અને ત્યાં રામકથાનું આયોજન તા.૮-૪ થી ૧૬- સુધી કરવામાં આવેલ હોય આજે તારીખ ૧૧ ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કથામાં ઉપસ્થિત રહ્યા હતા. તે રીતે જ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કૈલાશ વિજયવર્ગીય સહિતના આગેવાનોની હાજરી નોંધનીય રહી હતી.

આજે તા.૧૧ ના રોજ કથા ખાતે ગૌ મહિમા ધર્મસભાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં દુનિયાની સૌથી મોટી ગૌશાળા સ્થાપીત કરનાર ગૌઋષી દતશરણાનંદજી મહારાજ પણ કથામાં પધાર્યા હોય ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કથાનો લાભ લઇ રહ્યા છે.આયોજકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. મોરબીના ખોખરા હનુમાન હરીહર ધામ ખાતે પુ.કનકેશ્વરી દેવીની કથામાં લોકો આવી શકે અને તે માટે શ્રોતાઓ માટે મોરબીના સર્વોપરીશૈક્ષણીક સંકુલ દ્વારા બસ સુવિધા કરવામાં આવી છે.જેમાં તેઓની સ્કૂલ બસ નંબર ૮ કે જેના બસ નંબર જીજે ૩ બીટી ૩૦૧૯ છે તે દરરોજ સવારે ૮:૧૫ વાગ્યેથી સતત ચાલતી રહેશે.ભરતનગર ગામથી કથા સ્થળ સુધી અને કથાસ્થળથી ભરતનગર ગામ સુધી કથાના તમામ દિવસો સુધી આ બસો ચાલતી રહેશે તેમ તેઓ દ્વારા જણાવવામાં આવેલું છે.






Latest News