મોરબીની ખાખરેચી હાઈસ્કૂલના ભૂતપૂર્વ શિક્ષકો માટે યોજાશે ગુરૂ ભાવવંદના કાર્યક્રમ
મોરબીના ખોખરા ગામ હનુમાન ખાતે આયોજિત કથામાં મુખ્યમંત્રી પહોંચ્યા
SHARE
મોરબીના ખોખરા ગામ હનુમાન ખાતે આયોજિત કથામાં મુખ્યમંત્રી પહોંચ્યા
મોરબી નજીકના બેલા ગામે પૂજ્ય કનકેશ્વરી દેવીના આશ્રમ ખાતે ૧૦૮ ફુટની હનુમાન મૂર્તિનું અનાવરણ સીએમના દ્રારા કરવામાં આવ્યું છે અને ત્યાં રામકથાનું આયોજન તા.૮-૪ થી ૧૬- સુધી કરવામાં આવેલ હોય આજે તારીખ ૧૧ ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કથામાં ઉપસ્થિત રહ્યા હતા. તે રીતે જ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કૈલાશ વિજયવર્ગીય સહિતના આગેવાનોની હાજરી નોંધનીય રહી હતી.
આજે તા.૧૧ ના રોજ કથા ખાતે ગૌ મહિમા ધર્મસભાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં દુનિયાની સૌથી મોટી ગૌશાળા સ્થાપીત કરનાર ગૌઋષી દતશરણાનંદજી મહારાજ પણ કથામાં પધાર્યા હોય ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કથાનો લાભ લઇ રહ્યા છે.આયોજકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. મોરબીના ખોખરા હનુમાન હરીહર ધામ ખાતે પુ.કનકેશ્વરી દેવીની કથામાં લોકો આવી શકે અને તે માટે શ્રોતાઓ માટે મોરબીના સર્વોપરીશૈક્ષણીક સંકુલ દ્વારા બસ સુવિધા કરવામાં આવી છે.જેમાં તેઓની સ્કૂલ બસ નંબર ૮ કે જેના બસ નંબર જીજે ૩ બીટી ૩૦૧૯ છે તે દરરોજ સવારે ૮:૧૫ વાગ્યેથી સતત ચાલતી રહેશે.ભરતનગર ગામથી કથા સ્થળ સુધી અને કથાસ્થળથી ભરતનગર ગામ સુધી કથાના તમામ દિવસો સુધી આ બસો ચાલતી રહેશે તેમ તેઓ દ્વારા જણાવવામાં આવેલું છે.









