મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી નીલકંઠ વિદ્યાલય ખાતે આગામી રવિવારે યોજાશે બ્લડ ડોનેશન કેમ્પ


SHARE













મોરબી નીલકંઠ વિદ્યાલય ખાતે આગામી રવિવારે યોજાશે બ્લડ ડોનેશન કેમ્પ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે આગમી રવિવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના રવાપર રોડ ઉપર આવેલી નીલકંઠ સ્કૂલના ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓ દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરાયેલ છે.આગામી તારીખ ૧૭ ને રવિવારના રોજ સવારના ૮ થી સાંજના ૬ વાગ્યા સુધી નિલકંઠ સ્કૂલ રવાપર રોડ ખાતે આ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે.ધોરણ ૧૧ કોમર્સના વિદ્યાર્થીઓ કે જેઓને આ પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે અને સાથોસાથ સમાજસેવાની ભાવના પણ વિકસે તે હેતુથી આ આયોજન કરવામાં આવેલું છે.નીલકંઠ સ્કુલ પરિવાર દ્વારા સમયાંતરે દેશભક્તિના કાર્યક્રમો અને અન્ય સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે અને સમાજ ઉપયોગી બનાવવા પ્રયાસ કરવામાં આવતો હોય છે.જે અંતર્ગત આગામી તારીખ ૧૭ ને રવિવારના રોજ શાળાના ધોરણ ૧૧ કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હોય તેમાં સહભાગી થવા જાહેર અપીલ કરવામાં આવેલી છે.સંસ્થાના જીતુભાઈ વડસોલા (મો.૯૬૦૧૫ ૯૯૧૧૧) અને નવનીતભાઈ કાસુન્દ્રા (મો.૯૭૨૭૪ ૭૩૭૦૩) દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.








Latest News