મોરબીના સરકારી તાલુકા પુસ્તકાલયમાં બાબા સાહેબના જીવનકવન ઉપર પ્રદર્શન યોજાયું
મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવરંગ માંડવો યોજાયો
SHARE
મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવરંગ માંડવો યોજાયો
આસ્થા શ્રદ્ધાના પ્રતિક સમાન મોરબીના નવલખી રોડ પર રેલ્વે સ્ટેશન પાસે આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે માતાજીનો નવરંગ માંડવો રાખવામા આવ્યો હતો જેમાં દર્શન અને પ્રસાદનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા ત્યારે રાવળદેવ હરદેવભાઈએ ડાકના તાલે માતાજીના ગરબા દુહાની રમઝટ બોલાવી હતી. અને માતાજીના ભુવા કાનજીભાઈ જીવણભાઈ ગરીયા ઉપસ્થિત રહ્યા હતા. અને માતાજીના માંડવા નિમિતે તા.૯ ને શનિવારે રાસ-ગરબાનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં વિકાસ વિદ્યાલયની ૧૦૦ થી વધુ બાળાઓ મનમૂકીને રસ રમી હતી ત્યારે રાસગરબા કાર્યક્રમમાં અંજલી ઓરકેસ્ટ્રાના રમેશભાઇ ભદ્રા અને તેની ટીમે વિનામૂલ્યે સેવા આપી હતી