મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં મોર ભગતની વાડીની બાજુમાં રહેતા વ્યક્તિએ કરેલ દાવાને સિવિલ કોર્ટે નામંજુર કર્યો


SHARE













મોરબીમાં મોર ભગતની વાડીની બાજુમાં રહેતા વ્યક્તિએ કરેલ દાવાને સિવિલ કોર્ટે નામંજુર કર્યો

મોરબીના શકત શનાળા મોર ભગતની વાડીની બાજુમાં રહેતા વ્યક્તિએ મોરબીની સિવિલ કોર્ટમાં દિવાની કેસ વર્ષ ૨૦૧૫માં દાખલ કર્યો હતો જેમાં પ્રતિવાદીના પુરાવા અને તેના વકીલની દલીલને ધ્યાને રાખીને કોર્ટે દાવો નામંજુર કર્યો છે

આ કેસની માહિતી મુજબ શકત શનાળા મોર ભગતની વાડીની બાજુમાં વિરજીભાઇ કાનજીભાઇ પરમારે તેમના પિતા કાનાભાઇ ધનાભાઇ પરમાર વિગેરે ૫ પ્રતિવાદીઓ સામે મોરબીની સિવિલ કોર્ટમાં દિવાની કેસ વર્ષ ૨૦૧૫માં દાખલ કર્યો હતો અને મોરબી તાલુકાના વજેપર ગામ તળની નવી શરતની જમીન જે “ ગોકુળનગર” તરીકે ઓળખાય છે તે માહેના પ્લોટ નં -૪૯ પૈકીમાંથી આશરે ૮૦૦ ચો.ફુટ જગ્યા પ્રતિવાદી કાનાભાઇ ધનાભાઇ પરમારે વાદીને અનાજ દળવાની ઘંટ્ટી ચલાવવાના હેતુ કાઢી આપેલ છે અને તેનો કબજો ભોગવટો વિરજીભાઇનો છે તેમ જણાવી ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા અને વેચાણ દસ્તાવેજ રદ કરવા મોરબીની કોર્ટમાં દિવાની કેસ દાખલ કરેલ છે આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા કોર્ટે વિરજીભાઇની જુબાની અને વાદીએ રજુ રાખેલ પુરાવાઓ તથા પ્રતિવાદીઓની જુબાની તથા પ્રતિવાદીઓએ રજુ રાખલ પુરાવાઓ ધ્યાને લઇ પ્રતિવાદી ૧ થી ૩ ના વકીલ બી.બી. હડીયલની ધારદાર રજુઆત માન્ય રાખીને વાદીનો દાવો નામંજુર કરવામાં આવેલ છે 








Latest News