મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીમાં મોર ભગતની વાડીની બાજુમાં રહેતા વ્યક્તિએ કરેલ દાવાને સિવિલ કોર્ટે નામંજુર કર્યો


SHARE









મોરબીમાં મોર ભગતની વાડીની બાજુમાં રહેતા વ્યક્તિએ કરેલ દાવાને સિવિલ કોર્ટે નામંજુર કર્યો

મોરબીના શકત શનાળા મોર ભગતની વાડીની બાજુમાં રહેતા વ્યક્તિએ મોરબીની સિવિલ કોર્ટમાં દિવાની કેસ વર્ષ ૨૦૧૫માં દાખલ કર્યો હતો જેમાં પ્રતિવાદીના પુરાવા અને તેના વકીલની દલીલને ધ્યાને રાખીને કોર્ટે દાવો નામંજુર કર્યો છે

આ કેસની માહિતી મુજબ શકત શનાળા મોર ભગતની વાડીની બાજુમાં વિરજીભાઇ કાનજીભાઇ પરમારે તેમના પિતા કાનાભાઇ ધનાભાઇ પરમાર વિગેરે ૫ પ્રતિવાદીઓ સામે મોરબીની સિવિલ કોર્ટમાં દિવાની કેસ વર્ષ ૨૦૧૫માં દાખલ કર્યો હતો અને મોરબી તાલુકાના વજેપર ગામ તળની નવી શરતની જમીન જે “ ગોકુળનગર” તરીકે ઓળખાય છે તે માહેના પ્લોટ નં -૪૯ પૈકીમાંથી આશરે ૮૦૦ ચો.ફુટ જગ્યા પ્રતિવાદી કાનાભાઇ ધનાભાઇ પરમારે વાદીને અનાજ દળવાની ઘંટ્ટી ચલાવવાના હેતુ કાઢી આપેલ છે અને તેનો કબજો ભોગવટો વિરજીભાઇનો છે તેમ જણાવી ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા અને વેચાણ દસ્તાવેજ રદ કરવા મોરબીની કોર્ટમાં દિવાની કેસ દાખલ કરેલ છે આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા કોર્ટે વિરજીભાઇની જુબાની અને વાદીએ રજુ રાખેલ પુરાવાઓ તથા પ્રતિવાદીઓની જુબાની તથા પ્રતિવાદીઓએ રજુ રાખલ પુરાવાઓ ધ્યાને લઇ પ્રતિવાદી ૧ થી ૩ ના વકીલ બી.બી. હડીયલની ધારદાર રજુઆત માન્ય રાખીને વાદીનો દાવો નામંજુર કરવામાં આવેલ છે 






Latest News