માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં મોર ભગતની વાડીની બાજુમાં રહેતા વ્યક્તિએ કરેલ દાવાને સિવિલ કોર્ટે નામંજુર કર્યો


SHARE

















મોરબીમાં મોર ભગતની વાડીની બાજુમાં રહેતા વ્યક્તિએ કરેલ દાવાને સિવિલ કોર્ટે નામંજુર કર્યો

મોરબીના શકત શનાળા મોર ભગતની વાડીની બાજુમાં રહેતા વ્યક્તિએ મોરબીની સિવિલ કોર્ટમાં દિવાની કેસ વર્ષ ૨૦૧૫માં દાખલ કર્યો હતો જેમાં પ્રતિવાદીના પુરાવા અને તેના વકીલની દલીલને ધ્યાને રાખીને કોર્ટે દાવો નામંજુર કર્યો છે

આ કેસની માહિતી મુજબ શકત શનાળા મોર ભગતની વાડીની બાજુમાં વિરજીભાઇ કાનજીભાઇ પરમારે તેમના પિતા કાનાભાઇ ધનાભાઇ પરમાર વિગેરે ૫ પ્રતિવાદીઓ સામે મોરબીની સિવિલ કોર્ટમાં દિવાની કેસ વર્ષ ૨૦૧૫માં દાખલ કર્યો હતો અને મોરબી તાલુકાના વજેપર ગામ તળની નવી શરતની જમીન જે “ ગોકુળનગર” તરીકે ઓળખાય છે તે માહેના પ્લોટ નં -૪૯ પૈકીમાંથી આશરે ૮૦૦ ચો.ફુટ જગ્યા પ્રતિવાદી કાનાભાઇ ધનાભાઇ પરમારે વાદીને અનાજ દળવાની ઘંટ્ટી ચલાવવાના હેતુ કાઢી આપેલ છે અને તેનો કબજો ભોગવટો વિરજીભાઇનો છે તેમ જણાવી ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા અને વેચાણ દસ્તાવેજ રદ કરવા મોરબીની કોર્ટમાં દિવાની કેસ દાખલ કરેલ છે આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા કોર્ટે વિરજીભાઇની જુબાની અને વાદીએ રજુ રાખેલ પુરાવાઓ તથા પ્રતિવાદીઓની જુબાની તથા પ્રતિવાદીઓએ રજુ રાખલ પુરાવાઓ ધ્યાને લઇ પ્રતિવાદી ૧ થી ૩ ના વકીલ બી.બી. હડીયલની ધારદાર રજુઆત માન્ય રાખીને વાદીનો દાવો નામંજુર કરવામાં આવેલ છે 




Latest News