ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના ચાંચાપરમાં આવેલા શિવરામ ફાર્મ ખાતે આજથી ભાલોડીયા પરિવાર દ્વારા હનુમન્ત કથા પંચાન્હ પારાયણનું આયોજન


SHARE













મોરબીના ચાંચાપરમાં આવેલા શિવરામ ફાર્મ ખાતે આજથી ભાલોડીયા પરિવાર દ્વારા હનુમન્ત કથા પંચાન્હ પારાયણનું આયોજન

મોરબી તાલુકાના ચાંચાપર ગામે આવેલા શિવરામ ફાર્મ ખાતે આજથી ભાલોડીયા પરિવાર દ્વારા હનુમન્ત કથા પંચાન્હ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ભાણદેવજી મહારાજ દ્વારા કથાનું લોકોને રસપાન કરાવવામાં આવશે

હાલમાં જુદા જુદા વિસ્તારોની અંદર કથાનું આયોજન કરવામાં આવતું હોય છે તેવી રીતે મોરબી નજીકના ચાંચાપર ગામે ભાલોડીયા પરિવાર દ્વારા ખાતે શિવરામ ફાર્મ ખાતે આજથી ભાલોડીયા પરિવાર દ્વારા હનુમન્ત કથા પંચાન્હ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે આ કથાની અંદર વક્તા તરીકે ભણદેવજી મહારાજ દ્વારા લોકોને કથાનું રસપાન કરાવવામાં આવશે અને કથા દરમિયાન મહાત્મ કથા, હનુમાનજીનું બાલ ચરિત્ર, રામ હનુમાનનું મિલન તથા સંપૂર્ણ હનુમાન ચરિત્ર વિશેની કથાનું લોકોને રસપાન કરાવવામાં આવશે અને કથાનો સમય સવારે ૯ થી ૧૧ નો રાખવામાં આવ્યો છે અને કથાના વિરામ તારીખ ૧૮ ના રોજ સોમવારે કરવામાં આવશે આ કથાને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ રામજીભાઈ ભાલોડીયા, મનુભાઇ રામજીભાઈ ભાલોડીયા, સુધીરભાઈ મનુભાઇ ભાલોડીયા, દિવ્યકાંત લાધાભાઇ પનારા, સંજયભાઈ દેવજીભાઈ કોટડીયા, અતુલભાઇ ધરમશીભાઈ પનારા, સમીરભાઈ જયસુખભાઈ કાવર અને હસમુખભાઈ કુંવરજીભાઈ પડસુંબિયા તેમજ ભાલોડીયા પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે






Latest News