મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે રામકથામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી કાલે વર્ચ્યુયલ જોડાશે
મોરબીના સિરામિક ઉદ્યોગ માટે અમેરીકામાં ઉજળા સંજોગ
SHARE









મોરબીના સિરામિક ઉદ્યોગ માટે અમેરીકામાં ઉજળા સંજોગ
શહેરમા અમેરીકા ખાતેના ભારતના રાજદુત રણધીર જૈસ્વાલ સાથે મુલાકાત દરમ્યાન ભારત અને અમેરીકા સાથેના સિરામીક ઉધોગને લગતા ટ્રેડના વિકાસ માટે વિવિધ મુદ્દાઓ ઉપર રસપ્રદ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારે ભારતીય દુતાવાસ તરફથી મોરબીના સિરામીક ઉધોગ માટે બધી જ રીતે સહયોગ આપવા માટેની તત્પરતા દર્શાવવામાં આવી છે અને આવતા કવરીંગ્સ એક્સીબીસનમા ભારતીય સિરામીક ઉત્પાદકોને મોકાની જગ્યા મળે તે માટે પણ પ્રયત્ન કરશે તેવી બાંહેધરી આપવામાં આવી છે અને બીજી ગર્વની બાબતએ છે કે આપણા ગરવી ગુજરાતના રાજયસભાના સાંસદ અને વિદેશમંત્રી એસ.જયશંકર અમેરીકાની મુલાકાતે છે અને ભારતીય રાજદુતે જણાવ્યુ હતું કે, મંત્રી સાથેની મીટીગમા મોરબીના સિરામીક ઉધોગના વિકાસની ચર્ચા કરવામાં આવશે તેવું મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ નિલેષભાઈ જેતપરિયાએ જણાવ્યુ છે
